કળિયુગ માં યોગી પુરુષ ની દિવ્ય શક્તિ | ગિરનાર ના અદભુત સંત | દશરથ બાપુ
Автор: Gir Village Life
Загружено: 2024-01-11
Просмотров: 27879
Описание:
કળિયુગ માં યોગી પુરુષ ની દિવ્ય શક્તિ | ગિરનાર ના અદભુત સંત | દશરથ બાપુ
વિજ્ઞાન અને અધ્યાત્મ નો સમન્વય | Zero Dimension મા જવાનું વિજ્ઞાન | Cells ને યોગ દ્રારા ક્વોન્ટમમાં ફેરવવાનું વિજ્ઞાન
લાગણી, ભાવના, આત્મિયતા, શ્રધ્ધા અને સમર્પણ વિશે દશરથબાપુ કહે છે કે તે ઇમોશનલ સેન્સને ડેવલપ કરે છે અને ઇમોશનલ સેન્સે એટલે કચરાપેટી. પોતાના પરિવાર પુરતા આ ગુણો બરાબર છે બાકી તે કચરાપેટીથી વિશેષ નથી, કેમ કે જો તમે આવી કચરાપેટી રાખશો તો કોઇપણ આવીને તેમાં તેનો કચરો નાખી જશે.
તેમની અન્ય એક સોલિડ સાયન્ટિફિક વાત એટલે Cells(કોષ)નું જૈવિક વિજ્ઞાન જેમાં તેઓ કહે છે કે Cells વચ્ચે એનર્જી ચેનલ આવેલ હોય છે. જો આ એનર્જી ચેનલ ડિસ્ટર્બ થયા વગર અવિરત ચાલુ રહે તો વ્યક્તિનાં શરીરને વૃધ્ધાવસ્થા લાગુ નથી પડતી કેમ કે Cells એ જ અવસ્થામાં રહે છે. તેઓ પોતે ૭૫ વર્ષની વયના છે તેમ છતા તેમની ચામડી લબડતી નથી તેવું તેઓ જણાવે છે. અને જો કોઇ યોગી યોગ દ્રારા Cellsને ક્વોન્ટમમાં ફેરવી નાખે તો પછી શરીરનો ક્યારેય નાશ થઇ શકતો નથી. આવા કેટલાય સિધ્ધો અને યોગીઓ આજની તારીખે ગિરનારમાં વાસ કરે છે જે આ ક્રિયા દ્રારા જ શરીરને ક્વોન્ટમમાં રુપાંતર કરીને સેંકડો વર્ષો સુધી એમ જ રહી શકે છે. અમરત્વનો નિયમ એટલે બીજુ કંઇ નહી પરંતુ Cellsને યોગ દ્રારા ક્વોન્ટમમાં ફેરવવાનું વિજ્ઞાન.
પોતે તિબેટ તેમજ ગિરનારમાં રહીને સાધનાઓ કરી છે અને દિવ્યશક્તિઓ પ્રાપ્ત કરી છે તેમજ અમુક દિવ્યશક્તિઓ તેઓ લઇને જ આવેલ તે વાત પણ તેઓ સત્સંગમાં કરતા હોય છે.
આનંદની વ્યાખ્યા તેઓ કરતા કહે છે કે આનંદ એટલે બીજુ કંઇ નહી પરંતુ તમારા બ્રેઇનમાં ચાર રસાયણો Oxytocin, Serotonin, Dopamine અને Melatoninનું વ્યવસ્થિત બેલેન્સ. બીજુ કંઇ નહી.
શિવલિંગ એટલે એક “અણુ રીએક્ટર”. બ્રહ્મા, વિષ્ણું અને મહેશ એટલે ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન છે, કાલિ, સરસ્વતિ અને લક્ષ્મી એ એગોન, સાયગોન અને અલ્ટ્રોન છે, હનુમાનજી, ગણપતિ અને કાર્તિકસ્વામી એ આલ્ફા, ગામા અને બીટા છે, એમ એ નવ પાર્ટિકલથી બન્યું છે. શોધાણું એ સાયન્સ અને નથી શોધાણું એ ભગવાન.
દશરથબાપુની વાતો સાયન્ટિફિક તો લાગે જ સાથે સાથે ગુહ્ય પણ લાગે કેમ કે તેઓની મહતમ વાત છે તે રેશનલ માઇન્ડને સ્પર્શે એવી છે કેમ કે તેમની વાત પાછળ આંધળા વિશ્વાસને બદલે ચોક્કસ મેથેમેટિકલ નિયમની જ વાત તેઓ કરે છે. આમ જોઇએ તો અધ્યાત્મ એટલે નરી ચર્ચાનો વિષય નથી પરંતુ જાત-અભ્યાસ અને તેના દ્રારા પ્રાપ્ત કરેલ જાત-અનુભૂતિનો છે એટલે દશરથબાપુને જ્યારે રુબરુ મળો ત્યારે ચોક્કસ થાય કે આ મહાત્મા ખરેખર કંઇક અલગ છે અને માત્ર પ્રવચન કે ફિલોસોફિ કે શાસ્ત્રોનું શાબ્દિક જ્ઞાનમાત્ર નહિ પરંતુ જાતે સિધ્ધ કરેલ યોગનાં પ્રતાપે બોલી રહ્યા છે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: