04.2 Pu.Grudevshri Kanjiswami’s Pravachan
Автор: Garjato Gnayak
Загружено: 2026-07-14
Просмотров: 562
Описание:
15 July 26, Kalashteeka Jeev Adhikar
Prav No.-04.2 Kalash - 03
સમયસાર કળશ ટીકા શ્લોક -3 ( પ્રવચન નંબર - 4.2) ઉપર પૂજ્ય કહાન ગુરુવરનાં પ્રવચનનો અંશ..
💎💎💎💎💎💎💎💎
સમયસાર શાસ્ત્ર ભારત- રામાયણ પેઠે રાગવર્ધક નથી. આ તો દિગંબર જૈનવાણી, વીતરાગની વાણી છે.
આ શાસ્ત્ર તો સ્વરૂપની પરિપૂર્ણતાની પ્રાપ્તિની અસ્તિ બતાવે છે અને પર પદાર્થમાં બિલકુલ અંશનો એમાં અભાવ બતાવે છે, જેને પરનો સંબંધ છે જ નહીં, એવું વૈરાગ્ય- ઉત્પાદક આ શાસ્ત્ર છે.
કેવો છું હું? અનુભૂતિ- અતીન્દ્રિય સુખ, તે જ છે સ્વરૂપ જેનું એવો છું. કે જેમાં દુઃખેય નથી, રાગેય નથી, વિકલ્પ નથી, અલ્પજ્ઞતા નથી.
બાર અંગમાં પણ કહ્યું છે કે અનુભૂતિ કર, સ્વરૂપનો અનુભવ કર. એ અનુભૂતિ અતીન્દ્રિય આનંદ સુખસ્વરૂપ છે.
વળી કેવો છું? शुद्धचिन्मात्रमूर्ते ચેતનામાત્ર સ્વભાવ છે, આનંદની સાથે ચૈતન્ય સ્વરૂપ છું. ચિન્માત્રમૂર્તિ એટલે એકલો જાણક..જાણક..જાણક..જાણક...જાણકજાણક, જ્ઞાતા..જ્ઞાતા..જ્ઞાતા..જ્ઞાતા... સ્વભાવમાત્ર મારું સ્વરૂપ છે.
દ્રવ્યાર્થિકનયથી દ્રવ્ય સ્વરૂપ આવું જ છે.
હવે વ્યવહારનયે, પર્યાયનયે અત્યારે કેવો છું? એ કહે છે.
નિરંતર અનાદિ પ્રવાહરૂપે વિષય-કષાયાદિરૂપ અશુદ્ધ ચેતના તેની સાથે છે વ્યાપ્તિ. ભલે હું મુનિ છું, ભલે શુદ્ધિ પ્રગટી છે, પણ એ અશુદ્ધતા છે એ તો અનાદિની છે, અશુદ્ધતા તદ્દન ગઈ હતી અને નવી થઈ છે,એમ નથી. કેમ કે પૂર્ણ શુદ્ધતા પ્રગટી જ નથી.
મારી ચેતનામાં અનાદિનો પરલક્ષીભાવ વર્તે છે, એ અત્યારે પણ હજી થોડો છે. હજી મને મારી પર્યાયમાં શુદ્ધિ તો પ્રગટી છે, ભગવાન આનંદના ભેટા તો થયા છે, પણ પર્યાયમાં હજી કલુષિતતા છે એટલે વારંવાર રાગ થયા જ કરે છે.
મારો નાથ તો અતીન્દ્રિય આનંદ અને ચિન્માત્ર મૂર્તિ સ્વરૂપે છે, પણ મને પર્યાયમાં રાગનું કલંક છે હજી. આનંદના સાગરને કલંક-રાગ ન શોભે.
અશુદ્ધપણું નવું નથી, નવું તો શુદ્ધપણું પ્રગટ્યું છે એ હજી ઓછું છે. એ મારી પર્યાયનું મારામાં મારા ષટકારકથી છે.
એ અશુદ્ધતાનો વિનાશ થતાં પૂર્ણ જ્યારે થાય ત્યારે એકલું જ્ઞાન અને એકલું સુખ રહેશે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: