ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

04.2 Pu.Grudevshri Kanjiswami’s Pravachan

Автор: Garjato Gnayak

Загружено: 2026-07-14

Просмотров: 562

Описание: 15 July 26, Kalashteeka Jeev Adhikar
Prav No.-04.2 Kalash - 03

સમયસાર કળશ ટીકા શ્લોક -3 ( પ્રવચન નંબર - 4.2) ઉપર પૂજ્ય કહાન ગુરુવરનાં પ્રવચનનો અંશ..
💎💎💎💎💎💎💎💎
સમયસાર શાસ્ત્ર ભારત- રામાયણ પેઠે રાગવર્ધક નથી. આ તો દિગંબર જૈનવાણી, વીતરાગની વાણી છે.

આ શાસ્ત્ર તો સ્વરૂપની પરિપૂર્ણતાની પ્રાપ્તિની અસ્તિ બતાવે છે અને પર પદાર્થમાં બિલકુલ અંશનો એમાં અભાવ બતાવે છે, જેને પરનો સંબંધ છે જ નહીં, એવું વૈરાગ્ય- ઉત્પાદક આ શાસ્ત્ર છે.

કેવો છું હું? અનુભૂતિ- અતીન્દ્રિય સુખ, તે જ છે સ્વરૂપ જેનું એવો છું. કે જેમાં દુઃખેય નથી, રાગેય નથી, વિકલ્પ નથી, અલ્પજ્ઞતા નથી.

બાર અંગમાં પણ કહ્યું છે કે અનુભૂતિ કર, સ્વરૂપનો અનુભવ કર. એ અનુભૂતિ અતીન્દ્રિય આનંદ સુખસ્વરૂપ છે.

વળી કેવો છું? शुद्धचिन्मात्रमूर्ते ચેતનામાત્ર સ્વભાવ છે, આનંદની સાથે ચૈતન્ય સ્વરૂપ છું. ચિન્માત્રમૂર્તિ એટલે એકલો જાણક..જાણક..જાણક..જાણક...જાણકજાણક, જ્ઞાતા..જ્ઞાતા..જ્ઞાતા..જ્ઞાતા... સ્વભાવમાત્ર મારું સ્વરૂપ છે.

દ્રવ્યાર્થિકનયથી દ્રવ્ય સ્વરૂપ આવું જ છે.

હવે વ્યવહારનયે, પર્યાયનયે અત્યારે કેવો છું? એ કહે છે.

નિરંતર અનાદિ પ્રવાહરૂપે વિષય-કષાયાદિરૂપ અશુદ્ધ ચેતના તેની સાથે છે વ્યાપ્તિ. ભલે હું મુનિ છું, ભલે શુદ્ધિ પ્રગટી છે, પણ એ અશુદ્ધતા છે એ તો અનાદિની છે, અશુદ્ધતા તદ્દન ગઈ હતી અને નવી થઈ છે,એમ નથી. કેમ કે પૂર્ણ શુદ્ધતા પ્રગટી જ નથી.

મારી ચેતનામાં અનાદિનો પરલક્ષીભાવ વર્તે છે, એ અત્યારે પણ હજી થોડો છે. હજી મને મારી પર્યાયમાં શુદ્ધિ તો પ્રગટી છે, ભગવાન આનંદના ભેટા તો થયા છે, પણ પર્યાયમાં હજી કલુષિતતા છે એટલે વારંવાર રાગ થયા જ કરે છે.

મારો નાથ તો અતીન્દ્રિય આનંદ અને ચિન્માત્ર મૂર્તિ સ્વરૂપે છે, પણ મને પર્યાયમાં રાગનું કલંક છે હજી. આનંદના સાગરને કલંક-રાગ ન શોભે.

અશુદ્ધપણું નવું નથી, નવું તો શુદ્ધપણું પ્રગટ્યું છે એ હજી ઓછું છે. એ મારી પર્યાયનું મારામાં મારા ષટકારકથી છે.

એ અશુદ્ધતાનો વિનાશ થતાં પૂર્ણ જ્યારે થાય ત્યારે એકલું જ્ઞાન અને એકલું સુખ રહેશે.

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
04.2 Pu.Grudevshri Kanjiswami’s Pravachan

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

© 2025 ycliper. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]