મારી મીરાંનો મોરારી મને વાલો લાગે છે 🙏 લખેલું છે 👇
Автор: રાધે ધૂન મંડળ
Загружено: 2026-02-16
Просмотров: 11062
Описание:
મારા મીરાનો મોરારી મને વાલો લાગે રે
ઓલી રાધાનો વનમાળી મને પ્યારો લાગે રે
વાલો લાગે વાલો લાગે વાલો લાગે રે મારા મીરાનો.....
બાળપણમાં શબરીબાઈને ગુરુએ મંત્ર આપ્યા
રામ રામ જપતા જપતા જીવન તો સુધાર્યા
એક દિવસ વાલો મારો દર્શન દેવા આવ્યા
ઓલી શબરીબાઈનો રામ મને વાલો લાગે રે....મારા મીરાનો.....
નરસિંહ મહેતા નાનપણમાં મૂંગા બેરા હતા
ગુરુજીએ બોધ આપ્યા રાધે કૃષ્ણ બોલ્યા
હૂંડી રે સ્વીકારી વાલે હારલા પહેરાવ્યા
ઓલા નરસિંહનો ગિરધારી મને વાલો લાગે રે....મારા મીરાનો.....
પ્રહલાદજી તો નાનપણમાં કૃષ્ણ કૃષ્ણ રટ્યા
હિરણ્યાકંસે પ્રહલાદજીને અગ્નિમાં બેસાડ્યા
સ્તંભ તો ફાડીને મારો મોહનજી પધાર્યા
ઓલા પ્રહલાદજીના પ્રભુ મને વાલા લાગે રે.... મારા મીરાનો.....
સકુબાઈએ કૃષ્ણ ભજયા સાસુએ દુભાવયા
લાજુ કાઢી લાંબી વાલે ઘરના કામ કર્યા
વહુવારૂ બનીને મારો વાલીડો પધાર્યા
ઓલી શકુબાઈનો શ્યામ મને વાલો લાગે રે.....મારા મીરાનો.....
મેવાડની મીરાને લાગ્યો ભક્તિ કેરો રંગ
મનોમન એ વરી ગઈ શામળીયાને સંગ
ઝેર પીધા વાલે મારે અમૃત કરી દીધા
ઓલી મીરાનો માધવ મને વાલો લાગે રે.....મારા મીરાનો.....
દ્રૌપદીએ ભરી સભામાં કૃષ્ણને પોકાર્યા
નવસો નવાણું ચીર પુરી રંગ એના રાખ્યા
બાંધવ બનીને મારો બનવારી પધાર્યા
ઓલી દ્રૌપદીનો વીરો મને વાલો લાગે રે.....મારા મીરાનો.....
ઓલી રાધા નો વનમાળી મને પ્યારો લાગે છે 🙏
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: