ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

Trip to MogalDham & Bagadana (Part 1)

Автор: Dhruv Solanki's Vlog

Загружено: 2025-07-18

Просмотров: 511

Описание: Bhaguda Mogal Dham

મોગલના ચાર ધામમાંથી આજે આપણે વાત કરીશું ગોહિલવાડમાં ભગુડા મોગલધામની. એક લોકવાયકા મૂજબ 450 વર્ષ પહેલાં નળરાજાની તપોભૂમિ ભગુડા ગામે માતાજી પધાર્યાં હતાં. ભાવનગરથી 80 કિ.મી,. મહુવાથી 25 કિ.મી., બગદાણાથી માત્ર 11 કિ.મી. અને ગોપનાથથી 30 કિ.મી.ના અંતરે આવેલું ભગુડા ગામ એ જ માંગલ ધામ છે. મહુવા તાલુકાનું ભગુડા ગામ મોગલ માતાના ચાર ધામો પૈકીનું એક ધામ છે. આ મંદિરનો ઈતિહાસ રોચક છે. આશરે 450 વર્ષ પહેલાં દુકાળ પડતાં આહીર સમાજના પરિવારો ગીર ચાલ્યા ગયા હતા. ત્યાં ચારણ અને આહીર જ્ઞાતિના બે વડીલ મહિલાઓ વચ્ચે સગી બહેનો કરતાં પણ વિશેષ સંબંધ બંધાયો હતો. ચારણ જ્ઞાતિના ડોશીના નેસડે મોગલ માતાનું સ્થાનક હતું, તેથી તેમણે આહીર જ્ઞાતિનાં વૃદ્ધાની રક્ષા થાય એ માટે આઈ મોગલને કાપડમાં આપ્યા હતા. માતાજીને સાથે લઈ આહીર વૃદ્ધા ભગુડા આવ્યાં હતાં અને અહીં તેમણે નળિયાવાળા કાચા મકાનના ગોખલામાં માતાજીની સ્થાપના કરી પૂજા-અર્ચના શરૂ કરી હતી.
આઇશ્રી મોગલ માઁ ભગુડા માં કઈ રીતે બિરાજમાન થયા તે બાબતે લોક કથા એવા પ્રકારની જાણવા મળે છે કે, દુષ્કાળ ના સમય માં જૂનાગઢ ચારણ ના નેસડા માં કામળીયા આહીર પરિવાર અને અન્ય માલધારી પરિવારો પશુ ના નિભાવ માટે ગયા હતા.

જ્યાં ચારણ ના કુળદેવી આઈ શ્રી મોગલ માઁ નું સ્થાપન હતું. કામળીયા આહીર પરિવારના માજી એ માતાજીની અનેરી સેવા કરેલ. વર્ષ સારું થતા માલધારી પરિવાર વતન પરત ભણી જઈ રહ્યો હતો ત્યારે માજીના બેન સમા ચારણ બેને માતાજી તમારા રખોપા કરશે એમ કહી આઈશ્રી માં મોગલ કાપડામાં આપેલ.

કામળીયા આહીર પરિવારના માજીએ વતન ભગુડા પહોંચી માતાજીનું સ્થાપન કરેલ. ત્યારથી આઇશ્રી મોગલ માઁ ભગુડામાં બિરાજમાન છે. ત્યારથી ચારણ સમાજના કુળદેવી આઇશ્રી માઁ મોગલ કામળીયા આહીર સમાજના ભગુડાના 60 પરિવારો પૂજે છે અને બંને સમાજ ઉપરાંત તમામ જ્ઞાતિ ના અનેક લોકો આસ્થા પૂર્વક માતાજીની સેવા-પૂજા કરે છે અને બાધા રાખડી રાખે છે.

ભક્તો લાપસીનો પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવે છે. કહેવાય છે કે, લાપસીનો પ્રસાદ લેવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. ભગુડા ધામમાં ‘અન્નક્ષેત્રની’ સેવા પણ ઉપલબ્ધ છે. માઇ દર્શને આવતા શ્રદ્ધાળુઓ અચૂક માનો પ્રસાદ લે છે. ભક્તો અહીં માતાજીને 16 શણગાર અર્પણ કરે છે. જેને “તરવેડાનો “(માતાજીને ચઢાવવામાં આવતી ભેટ) એક ભાગ કહેવાય છે. લોક વાયકા મુજબ ભગુડા ગામમાં માતાજીના પાવન પ્રતાપે ક્યારેય કોઈના પણ ઘરે ચોરી થતી નથી દર મંગળવારે અને રવિવારે અહીં ભારે ભીડ જોવા મળે છે.

ભગુડામાં આવતા માઇ ભક્તો પોતાના અધૂરા કામ કે તકલીફો, માતાજી દૂર કરે તે માટે “તરવેડા” માનતા હોય છે. ‘તરવેડો’ એટલે એક પ્રકારની માનતા. જેમાં માતાજીને લાપસી ધરાવવામાં આવે છે અને શણગાર અર્પણ કરવામાં આવે છે. જયારે પોતાની માનતા પૂર્ણ થાય, ત્યારે શ્રદ્ધાળુઓ તરવેડો કરતા હોય છે. ઉપરાંત દર વર્ષ વૈશાખ સુદ બારસના દિવસે ભારે ધામધૂમ પૂર્વક માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે. જેમા લાખો લોકો શ્રધ્ધાભેર સામેલ થાય છે પ્રતિ વર્ષ ચૈત્ર માસમાં રોજની સેંકડોની સંખ્યામાં યાત્રાળુ પરિવારજનો દ્વારા માતાજીને લાપસી ધરવામાં આવે છે. આખો ચૈત્ર માસ આ પરંપરા ચાલુ રહે છે. આ જગ્યા ટ્રસ્ટ તરફથી લાપસી પ્રસાદ માટે જરૂરી પાણી બળતણ તેમજ તમામ વાસણોની સુવિધા વિનામુલ્યે પુરી પાડવામાં આવે છે અહીં યાત્રાળુઓ માટે અન્નક્ષેત્ર રોજ ૨૪ કલાક શરૂ રહે છે.

Bagdana Bapa Sitaram

બજરંગદાસ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાનાં બગદાણા ગામે થયેલ સંત હતા. તેઓ બજરંગદાસ બાપા, બાપા સીતારામ અથવા માત્ર બાપા તરીકે પણ ઓળખાય છે.

બજરંગદાસ બાપાનું મૂળ કુટુંબ રાજસ્થાનથી હતું. મૂળથી એ રામાનંદી સાધુ અને ભાવનગર જિલ્લામાં વર્ષોથી સ્થાયી થયા હતા. ૧૯૦૬માં (ચોક્કસ તારીખની માહિતી નથી) ઝાંઝરીયા હનુમાન મંદિરમાં ગામ અધેવાડામાં ભકિતરામ તરીકે માતા શિવકુંવરબાના ખોળામાં તેમનો જન્મ થયો. એમના પિતાજીનું નામ હરીદાસ બાપુ હતું. ભકિતરામ ૧૧ વર્ષની નાની વયે સાધુઓના સંપર્કમાં આવ્યા. અયોધ્યામાં તેમની મુલાકાત તેમના ગુરૂ સીતારામ બાપુ સાથે થઈ. તેઓ તેમના શિષ્ય બન્યા.
તેમના કેટલાક પ્રસિદ્ધ પરચા છે. જેમકે, એક વાર જ્યારે બાપા બજરંગદાસ ઊનાળાના સમયમાં મુંબઈમાં સાધુની જમાત જોડે હતી. ત્યારે સાધુની જમાતે પાણી પીવાની ઈચ્છા વ્યકત કરી ત્યાં પીવાના પાણીની ખૂબ અછત હતી. ગુરૂજીએ બાપાને પાણીની વ્યવસ્થા કરવાનું કહ્યું. ગુરુજીની આજ્ઞા માની ને બાપા બજરંગદાસે ત્યાં મુંબઈમાં દરીયાકીનારે એક ડાર બનાવ્યો, (દરીયાની રેતીમાં હાથથી ખાડો ખોદી ને પાણી કાઢવુ તે) અને એ ડારમાંથી મીઠુ પાણી નીકળ્યુ. ઔરંગાબાદમાં તેમણે એક બાળકને તેના ઘરની અગાસી પરથી નીચે પડી ગયેલું અને બાપાએ તેને તેડી ને બચાવી લીધેલું. એક વાર જયારે બાપા તેમના ગુરુ અને તેમની સાધુ જમાત જોડે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે સિંહોનું ટોળું રસ્તામાં મળ્યું અને બાપા એ તેમને સીતારામ નામનો મંત્ર કર્યો અને તેમના રસ્તા પરથી ટોળાને હટી જવા આદેશ આપ્યો અને સાધુની જમાત આગળ વધી.
તેઓ સુરત (લક્ષ્મીનારાયણ મંદિર), હાનોલ (રણજીત હનુમાનજી), ભાવનગર, પાલિતાણા, જેસર વગેરે જગ્યાઓએ ફરતા અને સેવા કરતા કળમોદર પહોંચ્યા. અહીં તેમણે સપ્તાહ કરી અને ત્રણ વર્ષ અહીં રહ્યા. બાપા ત્યાર પછી બગદાણા આવ્યા અને ત્યાં સ્થાયી થયા.
બગદાણાનો ગુરૂ આશ્રમ તેમના શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામ છે. બાપા સીતારામની મઢૂલીઓ સૌરાષ્ટ્રના કેટલાય ગામોમાં આવેલી છે.

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Trip to MogalDham & Bagadana (Part 1)

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

Trip to Kadamgiri Kamraimata (Part 2)કદમગીરી ડુંગરની યાત્રા #hillstation  #gujarattourism #droneview

Trip to Kadamgiri Kamraimata (Part 2)કદમગીરી ડુંગરની યાત્રા #hillstation #gujarattourism #droneview

બગદાણા ધામનું મહાકાય રસોડું | ગુરૂ પૂર્ણિમા 2025 | guru purnima 2025  | Bagdana nu rasodu

બગદાણા ધામનું મહાકાય રસોડું | ગુરૂ પૂર્ણિમા 2025 | guru purnima 2025 | Bagdana nu rasodu

ВОТ КАК ОНИ ЭТО СДЕЛАЛИ: 8 МЕГАЛИТОВ, КОТОРЫЕ ОБЪЯСНЯЮТ, КАК СТРОИЛИ ДРЕВНИЕ

ВОТ КАК ОНИ ЭТО СДЕЛАЛИ: 8 МЕГАЛИТОВ, КОТОРЫЕ ОБЪЯСНЯЮТ, КАК СТРОИЛИ ДРЕВНИЕ

Փաշինյանը բարկանում է, Քոչարյանը հաղորդաշար է սկսում, ՔՊ-ն եւ Փաշինյանը առջեւում են հարցումներով

Փաշինյանը բարկանում է, Քոչարյանը հաղորդաշար է սկսում, ՔՊ-ն եւ Փաշինյանը առջեւում են հարցումներով

Trip to Patleshvar & Tapkeshvar Mahadev Temple #mahashivratri2024  #girforest #gujarattourism #diu

Trip to Patleshvar & Tapkeshvar Mahadev Temple #mahashivratri2024 #girforest #gujarattourism #diu

Glimpse of Maa Ganga Arti, Haridwar I  ગંગા આરતીની ઝલક, હરિદ્વાર #gangariver #harkipauri #gangaaarti

Glimpse of Maa Ganga Arti, Haridwar I ગંગા આરતીની ઝલક, હરિદ્વાર #gangariver #harkipauri #gangaaarti

બજરંગદાસ બાપા ની અંતિમ વિદાય નો પ્રસંગ - બગદાણા | Bagdana @dhavalagravatvlogs

બજરંગદાસ બાપા ની અંતિમ વિદાય નો પ્રસંગ - બગદાણા | Bagdana @dhavalagravatvlogs

РЕКА УЖАСА: 13 Безумных Тайн Амазонки, в которые сложно поверить!

РЕКА УЖАСА: 13 Безумных Тайн Амазонки, в которые сложно поверить!

Bhaguda | ભગુડા મોગલમાં ના દર્શન| Bhaguda MogalDham | Amreli | Gujarat #vlog #travel #traveling

Bhaguda | ભગુડા મોગલમાં ના દર્શન| Bhaguda MogalDham | Amreli | Gujarat #vlog #travel #traveling

Trip to Bapa No Dungar | બાપા નો ડુંગર ની મુલાકાત | #girjungle #asiaticlion | Diu |

Trip to Bapa No Dungar | બાપા નો ડુંગર ની મુલાકાત | #girjungle #asiaticlion | Diu |

Palitana 6 Gau Yatra 2026 | 1 TO 88 Paal | પાલીતાણા પાલ 6 ગાવ યાત્રા | Jain Temple | Jain Tirth

Palitana 6 Gau Yatra 2026 | 1 TO 88 Paal | પાલીતાણા પાલ 6 ગાવ યાત્રા | Jain Temple | Jain Tirth

Фантастические победы ирана и россии

Фантастические победы ирана и россии

બગદાણા ધામ ભકતો માટે ફ્રી સુવિધા  | bagdana dham | bagdana bhavy rasodu | pathu history

બગદાણા ધામ ભકતો માટે ફ્રી સુવિધા | bagdana dham | bagdana bhavy rasodu | pathu history

Trip to Hanumangala #girforest #gujarattourism #hanumantemple #diu #mountainview #roadtrip #2024

Trip to Hanumangala #girforest #gujarattourism #hanumantemple #diu #mountainview #roadtrip #2024

भगवान विष्णु का वामन अवतार | तीन पग भूमि दान में भगवान ने तीनों लोकों को नाप लिया | महाबली हनुमान

भगवान विष्णु का वामन अवतार | तीन पग भूमि दान में भगवान ने तीनों लोकों को नाप लिया | महाबली हनुमान

Вот и всё. Финал в Германии. Кризис усиливается. Новый расклад. Новости сегодня

Вот и всё. Финал в Германии. Кризис усиливается. Новый расклад. Новости сегодня

સમાજની એકતા નો ઉત્સવ 💐  21 દીકરીઓના સમુહ લગ્ન | 22-02-2026💖

સમાજની એકતા નો ઉત્સવ 💐 21 દીકરીઓના સમુહ લગ્ન | 22-02-2026💖

Главные тайны Мёртвого моря. Или озера?

Главные тайны Мёртвого моря. Или озера?

ગિરનાર જંગલમાં આવેલ જટા શંકર | Jata Shankar | Girnar Parvat | Milan Danidhariya

ગિરનાર જંગલમાં આવેલ જટા શંકર | Jata Shankar | Girnar Parvat | Milan Danidhariya

Trip to Jagdusha Ashram, Jagatiya & Khodiyar Temple, Sugaara. જગડુશા આશ્રમ અને ખોડિયાર મંદિર, સુગારા

Trip to Jagdusha Ashram, Jagatiya & Khodiyar Temple, Sugaara. જગડુશા આશ્રમ અને ખોડિયાર મંદિર, સુગારા

© 2025 ycliper. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]