Shikshapatri Katha - Shlok 117(02) To 119 || 08 Nov, 2020 || Mahant Swami Shri Devprasaddasji Swami
Автор: Swaminarayan Chintan
Загружено: 2025-09-04
Просмотров: 382
Описание:
Shikshapatri Detail explanation by Pujya Devprasaddasji Swami
Shree Swaminarayan Gurukul Organization
Title : પુરશ્ચરણ રીતે કરવું જોઈએ ?, પૂ.શાસ્ત્રીજી મહારાજની આસ્થિકતા
• પૂ.શાસ્ત્રીજી મહારાજની નાની નાની ક્રિયામાં અતિ અસ્તિકતા દેખાતી હતી. એ સમયે નવું મકાન બનતું હોય અને પહેલું બારણું મૂકવાનું હોય તો ગણપતિનું પૂજન કરતાને ગોળ ધાણા વહેંચતા
• પુરશ્ચરણ કર્યું હોય તો એનું યથાશક્તિ ઉદ્યાપન - યજ્ઞ - હોમ અવશ્ય કરવો અને જો આર્થિક સગવડતા ન હોય તો જે તે શાસ્ત્રનો દશાંશ પાઠ extra કરવા
• જેમ નારાયણ કવચનો પાઠ જનરલી કહ્યો છે પણ આપણા માટે નિત્યાનંદસ્વામીએ રચેલા હરીકવચનનું પુરશ્ચરણ કરવું
• પૂ.ધર્મસ્વરૂપ સ્વામીએ વચનામૃતના 108 પાઠ કર્યા હતા એ પુરશ્ચરણના સ્વરૂપમાં નહોતા કર્યા, વચનામૃતના સાનિધ્યમાં મહારાજના ધામમાં જવા માટે સંકલ્પ કરીને કર્યા હતા એટલે મહારાજે સંકલ્પ પૂરો કર્યો
• મોટે ભાગે પુરશ્ચરણ શુભ સંકલ્પને પૂરો કરવા થતા હોય છે ને એ ન હોય તો ભગવાનને રાજી કરવા પણ કરી શકાય
• પુરશ્ચરણ શુભસ્થાનને વિશે કરે તો વધારે ફળદાયી થાય છે
• શુભસ્થાન એને કહેવાય કે સત્પુરુષ રહેતા હોય, શાસ્ત્રનું પઠન થતું હોય, ગંગા જેવી નદી હોય, હરણા અને મોરલાઓ જ્યાં વિચારતા હોય અને ભગવાન જ્યાં વિચરતા હોય તે
• પુરશ્ચરણ એટલે વારંવાર repetition
• બધા જ ધર્મગ્રંથોનો સાર મહારાજે સત્સંગજીવનમાં વણી લીધો છે
• પુરશ્ચરણમાં સ્પષ્ટ ઉચ્ચારણનું મહત્વ છે અર્થના અનુસંધાનનું મહત્વ એટલું બધું નથી, જો અર્થ સહિત કરે તો વધારે સારું ગણાય
• પાઠ કરવો એમાં અર્થના અનુસંધાનની જરૂર હોય છે અને એ નિત્ય લાંબા સમય સુધી કરાતો હોય છે
• પુરશ્ચરણમાં આટલા પાઠ કરવા છે નક્કી કરી અને નિશ્ચિત સમયમાં timeline સહિત કરે તો એને પુરશ્ચરણ કહેવાય
• ભગવાનના ભક્તોને કંઈક લૌકીક ઈચ્છા હોય તો અન્ય માનતાઓ કરતા પુરશ્ચરણ એ શ્રેષ્ઠ ઉપાય છે
• પૂ.મહંત સ્વામી જ્યારે રાજકોટ હતા ત્યારે તેમણે ગાયત્રી મંત્રના 24 લાખ પાઠ કરાવ્યા હતા, જે બ્રાહ્મણ વિદ્યાર્થીઓને જનોઈ ન હતી તેને યજ્ઞોપવીત સંસ્કાર કરીને, વિધિ પ્રમાણે કરાવ્યા હતા
• સત્સંગીજીવનમાં "સંકટ હર સ્તોત્ર" કહ્યો છે એના પણ પાઠ કરાવ્યા હતા
• પુરશ્ચરણ, ગ્રંથની મૂળ ભાષામાં થાય તો વધારે સારું પણ જો કોઈ બીજો રસ્તો ન હોય તો translationનું પણ કરી શકાય
• ભગવાને પુરશ્ચરણ વગેરે કરવા - કરાવવાની સગવડતા અનુકૂળતા આપી હોય તો પણ જો અંદરથી એવું ઉગે નહીં તો એ મુમુક્ષુતાની ખામી ગણાય
• પૂ.શાસ્ત્રીજી મહારાજે શિક્ષાપત્રીના એક પણ શ્લોકનું અનુષ્ઠાન નહીં કર્યું હોય એવું નહીં હોય
• કારણ કે કુદરતી આપત્તિ વખતે મદદ કરવી એ આજ્ઞા છે, તો સ્વામી 1972ની સાલમાં દુષ્કાળ વખતે ચૈત્ર મહિનાની ગરમીમાં પોતે અનાજ વિતરણ કરવા જતા હતા
• મહારાજે કુદરતી આપત્તિ વખતે મદદ કરવાની આજ્ઞા કરી છે એમાં મુમુક્ષુતા નથી પણ માણસાઈ છે અને મહારાજ રાજી થાય છે
• હૈદરાબાદમાં પૂ.સ્વામીએ સત્સંગીજીવનના પાંચ પુરશ્ચરણ કરાવ્યા છે
• સગવડતા હોય અને પુરશ્ચરણ કરવાનું અંદરથી ઉગે તો પણ આડેધડ્યું ન હોવું જોઈએ શાસ્ત્ર પ્રમાણે અને વિધિ પ્રમાણે થવું જોઈએ
• જે સારું કામ કરતા હોય, ભગવાનને રાજી કરવાનું એને દરરોજ સંકટ ઉભા જ હોય
Swaminarayan Chintan is a platform which makes easy to understand the Principles and philosophy of Bhagwan Swaminarayan.
Explanation of Original Swaminarayan Principles Simplified.
by Sadguru Shri Devprasaddasji Swami
Katha Date :- 08 Nov, 2020
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: