શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ || મોટી હવેલી જામનગર ।। દિવસ 7 - પ્રથમ સત્ર
Автор: Moti Haveli Jamnagar - Vaishwanar Yuva Sangathan
Загружено: 2025-12-18
Просмотров: 837
Описание:
।। શ્રીમદનમોહન પ્રભુઃ વિજયતે ।।
અલૌકિક આનંદની અનુભૂતિ સહ જણાવવાનુંકે જામનગર મધ્યે સ્થિત શ્રીપુષ્ટિ સંપ્રદાય મોટીહવેલીમાં બિરાજમાન શ્રીમહાપ્રભુજીના નિધિ એવં મહાનુભાવ ગદાધરદાસજીના સેવ્ય ચતુર્ભુજ સ્વરૂપ શ્રીમદનમોહન પ્રભુની અસીમ અનુકંપા તેમજ શ્રીમોટીહવેલી જામનગરના ગાદીપતિ પુષ્ટિ સિદ્ધાન્ત સંરક્ષણ શિરોમણિ, મહાકવિ
પૂ.પા.ગો. ૧૦૮ શ્રીહરિરાયજી મહારાજશ્રી તેમજ આપશ્રીના આત્મજ વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.શ્રીવલ્લભરાયજી મહોદયશ્રી
ની આજ્ઞા એવં કૃપામય આશીર્વાદથી શ્રીમહાપ્રભુજીને અત્યંત પ્રિય એવા શ્રીગોવર્ધનધરણ શ્રીનાથજીના વાંગ્મય સ્વરૂપ શ્રીમદ્ ભાગવતજીની અલૌકિક રસમય કથાનું આયોજન આગામી માગશર વદ નોમ ને તા. ૧૩-૧૨-૨૫ થી માગશર વદ અમાસ ને તા. ૧૯-૧૨-૨૫ દરમ્યાન નિર્ધારિત કરેલ છે. શ્રીમદ્ ભાગવત સપ્તાહના વ્યાસાસને મુંબઈ નિવાસી સુપ્રસિદ્ધ પુષ્ટિમાર્ગીય વિદ્વાન ભાગવત કથાકાર શ્રી કૃષ્ણદત્ત નિરંજન શાસ્ત્રીજી બિરાજી શ્રીસુબોધિનીજી અને ભાગવતાર્થ પ્રકરણના આશય સહિત શ્રોતાઓને ભગવદ્ લીલાઓનું રસપાન કરાવશે. અમારા પરિવાર પર પૂ. શ્રીગુરુદેવની મહાન કૃપાથી પ્રાપ્ત થયેલ આ અલૌકિક અવસરે દેવતાઓને પણ દુર્લભ એવી ભાગવતી લીલાઓનું રસપાન કરી ભગવદ્ નામ સંકીર્તનના શ્રવણનો આનંદ પ્રાપ્ત કરવા સપરિવાર ઉપસ્થિત રહેવા અમારું સહૃહ્ય આમંત્રણ છે.
શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમ્યાન મંગલ સાન્નિધ્ય શ્રી મોટીહવેલી જામનગરના વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.શ્રીવલ્લભરાયજી મહોદયશ્રી, યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.શ્રીરસાર્દ્રરાયજી તેમજ પૂ.પા.ગો.શ્રીપ્રેમાર્દ્રરાયજી કૃપા વિચારી શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં પધારશે અને મધુર વચનામૃત રૂપી રસવર્ષા દ્વારા લાભાન્વિત કરશે.
આપના અલૌકિક આગમનના અભિલાષી
ગો.વા. દીલીપભાઈ કુંવરીયા (કીર્તનીયા) પરિવાર
ગો.વા. માર્કંડરાય પંચોલી પરિવાર
શ્રી કનૈયાલાલ સારડા પરિવાર
'અંતર્ગત માંગલિક પ્રસંગો
વ્યાસાસને પૂજ્ય શ્રીકૃષ્ણદત્ત નિરંજન શાસ્ત્રીજી બિરાજશે
શ્રી ભાગવતજીની પધરામણી
માગશર વદ નોમ શનિવાર તા. ૧૩-૧૨-૨૦૨૫ સવારે ૯-૦૦ કલાકે
કથા પ્રારંભ
માગશર વદ નોમ શનિવાર તા. ૧૩-૧૨-૨૦૨૫
કપીલગીતા
માગશર વદ દશમ રવિવાર તા. ૧૪-૧૨-૨૦૨૫
શ્રી નૃસિંહ પ્રાકટ્ય ઉત્સવ
માગશર વદ અગિયારસ સોમવાર તા. ૧૫-૧૨-૨૫
શ્રીવામન પ્રાકટ્ય ઉત્સવ
માગશર વદ બારસ તા. મંગળવાર તા. ૧૬-૧૨-૨૦૨૫
શ્રીરામ પ્રાકટ્ય ઉત્સવ
માગશર વદ બારસ તા. મંગળવાર તા. ૧૬-૧૨-૨૦૨૫
શ્રીકૃષ્ણ જન્મ- નંદ મહોત્સવ
માગશર વદ બારસ મંગળવાર તા. ૧૬-૧૨-૨૦૨૫ - સાંજે ૬:૦૦ કલાકે
શ્રી ગોવર્ધન લીલા
માગશર વદ તેરસ બુધવાર તા. ૧૭-૧૨-૨૦૨૫
શ્રી રુણીમશી વિવાહ
માગશર વદ ચૌદસ ગુરૂવાર તા. ૧૮-૧૨-૨૦૨૫
કથા વિરામ
માગશર વદ અમાસ શુક્રવાર તા. ૧૯-૧૨-૨૦૨૫
સમય બપોરે ૦૧:૦૦ વાગ્યે
:: નિત્ય કથા સમય ::
સવારે ૯:૩૦ થી ૧૨:૦૦ સાંજે ૩:૩૦ થી૬:૩૦
સમગ્ર શ્રીમદ્ ભાગવત સપ્તાહનું શ્રીમોટીહવેલી જામનગર ની યુટ્યુબ ચેનલ Shreemotihaveli jamnagar vaishwanar yuva sangath પર જીવંત પ્રસારણ (live telecast) કરવામાં આવશે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: