વડોદરા શહેરના પૌરાણિક શ્રી અક્કલકોટ સ્વામી સમર્થ મહારાજના મંદિરે દત્ત જયંતિ ઉજવણી કરવામાં આવી.
Автор: Aamhi Barodekar
Загружено: 2023-12-26
Просмотров: 50
Описание:
વડોદરા શહેરના સુરસાગર તળાવ પાસે આવેલું પૌરાણિક શ્રી અક્કલકોટ સ્વામી સમર્થ મહારાજ ના મંદિરે દત્ત જયંતિ ઉજવણી કરવામાં આવી
વડોદરા શહેરના સૂરસાગરના પશ્ચિમ ઘાટે, મહારાણી ગર્લ્સ હાઇસ્કૂલ સામે આવેલા હઠીલા હનુમાન અને મહાદેવજીના મંદિરોના સાનિધ્યમાં અક્કલકોટ સ્વામી સમર્થ મહારાજનો મઠ - મંદિર આવેલું છે. કળિયુગમાં ગુરુ દત્તાત્રયના બીજો અવતાર શ્રી નૃસિંહ (નરસિંહ) સરસ્વતી સ્વામીજી નો ગણાય છે અને ત્રીજો અવતાર જે બીજા અવતાર માંથી જ પ્રગટેલો મનાય છે તે અક્કલકોટના શ્રી સ્વામી સમર્થ કહેવાય છે.
ભગવાન દત્તાત્રેયની જન્મજયંતિ માર્ગશીર્ષ મહિનાની પૂર્ણિમા તિથિને દિવસે ઉજવવામાં આવે છે, ભગવાન દત્તાત્રેયને ત્રણેય દેવોના અવતાર માનવામાં આવે છે, ભગવાન દત્તાત્રેયમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશની શક્તિઓ સમાયેલી છે. તેને છ હાથ અને ત્રણ મુખ છે. તેમના પિતા ઋષિ અત્રિ અને માતા અનુસૂયા છે. એવું માનવામાં આવે છે કે સ્મરણ માત્રથી ભગવાન દત્તાત્રેય ભક્તોની મદદ કરે છે. ભગવાન દત્તાત્રેયની જન્મજયંતિ પર મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે.
શ્રી અક્કલકોટ સ્વામી સમર્થ મહારાજ ના મંદિરમાં
દત્ત જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આરતી, પાદુકા પૂજન, તેમજ ભજન, કીર્તન અને દત્ત બાવનીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે રાવપુરા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, શ્રી હઠીલા હનુમાન મંદિર ના મહંત શ્રી દીપેનવન ગોસ્વામી અને શ્રદ્ધાળુઓ દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી અહીંયા દર ગુરુવારે બે થી અઢ હજાર ભક્તો અહીં આવીને માથુ ટેકવે છે.
દરમિયાન સ્વામી ભક્ત વાસુદેવ કડુસકરે તત્કાલીન વડોદરાના ગાદિપતિ શ્રીમંત ફતેહસિંહરાવ ગાયકવાડને વિનંતી કરીને રાજઘરાનાના નારેશ્વર મહાદેવ મંદિરમાં સચવાયેલી સ્વામી સમર્થની એક મૂર્તિ માગી. તેની સ્થાપના તા.1-12-1960 ના રોજ રંગ અવધૂત મહારાજના સ્વહસ્તે કરાઈ.
1980 માં મંદિરનો જીર્ણોદ્વાર થયો. એકત્રિસ વર્ષ પછી ફરી મંદિરનું નવીનીકરણ પૂર્ણ થયું. ચાંદીનું મંદિર સ્થાપવામાં આવ્યું. પાદુકા, શ્રી સમર્થની મૂર્તિ અને પાછળ દત્તાત્રયને સ્થાપવામાં આવ્યા છે.
શ્રી સ્વામી સમર્થનું ખાસ વાક્ય છે, ડરીશ નહીં, હું તારી પાછળ છું.
|| श्री स्वामी समर्थ ||
"अनंतकोटी ब्रह्मांड नायक महाराजाधिराज योगीराज निवासी अक्कलकोटचे सदगुरु श्री स्वामी समर्थ महाराज यांचा जयजयकार"
अवधूत चिंतन श्री गुरुदेव दत्त !
श्री स्वामी समर्थ महाराजांचा जयजयकार, काळजी करू नकोस !!
|| अशक्य ही शक्य करतिल स्वामी ।। सदैव ओठी असू दे....
श्री स्वामी समर्थ.... श्री गुरुदेव दत्त....🌹🙏🏻
Shree Akkalkot Swami Samarth Maharaj
Sursagar Lake, Vadodara.
#dattatreya #dattajayanti #swamisamarth
#Reels #Viral #ViralReels #India #Instagram #ViralVideo #ViralReels
#InstagramReels
#ViralVideo #Trending #Trend #Music #News #Vadodara #आम्हीबरौडेकर #VikasGholkar #Insta #GujaratNews #ગુજરાત #VadodaraNews #ExplorePage #NewsUpdate #वडोदरा #Barodian #વડોદરા #News #Gujarat #VadodaraCity
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: