શ્રી વરૂડી માં મંદિર ધુડશિયા ગામ_ varudi mata temple jamnagar_ varudi mata dham
Автор: safarnama शहर से दूर🏔️🛖
Загружено: 2022-11-22
Просмотров: 13203
Описание:
શ્રી વરૂડી માં મંદિર ધુડશિયા ગામ_ varudi mata temple jamnagar_ varudi mata dham,આઇ શ્રી વરવડી (વરૂડી)
આઈશ્રી વરવડી નો જન્મ ચંખડાજી ગોખરૂ (નરા શાખની પેટાશાખા) ના ઘેર ખોડાસર (તા. ભચાઉ-કચ્છ) ગામમાં થયેલો. આ વાતની પ્રતિતી કરાવતો ખોડાસરના ઉતરાદી તરફ આઈનો ઉગમણા બારનો ઓરડો છે, જ્યાં આઈનું પુજા સ્થાન આવેલું છે. તે આજે પણ મોજુદ છે. આજ ખોડાસર માં આઈના પિતાશ્રીએ બંધાવેલું ચંખડાસર નામનું તળાવ પણ આવેલું છે.
આઈના જન્મ વિશે એક બીજી વાત પણ પ્રસિદ્ધ છે કે તેઓ જન્મ વખતે જ પુરા બત્રીસ દાંતો સહીત જન્મેલ. એમના પર લખાયેલ એક છંદમાં લખાયું છે કે "દાંતા બત્રીશા સોત જાઇ, લીયા દાંત સુ લોહરા” “અચરજ દરશણ હુઓ અંબા, મિટયા વાદળ મોહરા” – અને દાંતો સહીત જન્મયા અને તેઓ શ્યામ હતા એટલે કે વરવા (કદરૂપા) હતા એટલે તેમનું નામ વરુડી-વરવડી પડ્યું પણ એ માન્યતા ખોટી લાગે છે. આઇ વિશે આવી ઘણી ખોટી માન્યતાઓ છે તે આપણે આગળ જોશું પણ અહી એમના નામ વિશે જોઈએ. “વળ” શબ્દ મારવાડી ભાષામાં ભોજન માટે વપરાય છે.જશવંત ભૂષણ' ગ્રંથના કર્તા કવિરાજ મુરારિદાન આસીયા એ ગ્રંથમાં પોતાના પૂર્વજોનો પરિચય આપતા લખ્યું છે કે
મમ શાખા આસિયા ભયે પુરખા જુ ભીમ ભલ
દે ભોજન બહુ નરન બિરદ પાયો વળ હઠમલ
આઇશ્રીના પિતા ચંખડોજી ગોખરું ને કચ્છમાં દુષ્કાળ પડવાથી પોતાના માલઢોરને બચાવવા માટે ખોડાસર છોડી બીજે જવાની ફરજ પડી. હાલારમાં ફુલઝર નદીને પશ્ચિમે આવેલા હાલના ધુળશિયા ગામ પાસે તેમને પાણી અને ઘાસચારાની સગવડ જણાતાં તેઓ ત્યાં જ નેશ નાખી રહેવા લાગ્યા. આજે પણ ત્યાં આઈ વરવડીનું સ્થાનક છે.પોતાના ઘોડાને પાણીમાં ધમરોળી પોતે પણ પાણીમાં સ્નાન કરી છાંયડાની શોધ કરવા લાગ્યા કે જેથી ત્યાં આરામ પણ થઇ શકે અને ભોજન વગેરે પણ રાંધી શકાય. તેમને ત્યાંથી થોડે દૂર એક જંગી વડલો નજરે પડતાં રા'નવઘણ અને તેના થોડાક સૈનિકો તે જગ્યા જોવા તે તરફ રવાના થયા. આ વખતે એ વડલા નીચે (જ્યાં હાલે આઈ વરવડીનો થડો છેત્યાં આઈ વરવડી જેમની ઉંમર તે વખતે છ-સાત વર્ષની હશે.પોતાના બહેન સહદેવ અને બીજા સહેલીયો સાથે માતાજી ના નૈવેધ (ખીર) બનાવવાની બાલ સહજ રમત રમતા હતા. પથ્થર નો ચુલો બનાવેલ. એક નાની કુલડીમાં દુધ-ચોખા નાખી તેને ચુલા પર ચડાવેલ. રમતા-રમતા તેમની નજર સામેથી આવતા રા'નવઘણ અને તેના સૈનીકો ઉપર પડી. આઈ અને સહેલીઓ આ અજાણ્યા માણસો કોણ છે તે જોવા માટે સામા ગયા. નવધણ પણ ઉજળી મુખ ક્રાંતિ અને નિર્ભય રીતે પોતાના તરફ આવતી એ બાળા વરવડી અને તેની સખીઓને જોવા લાગ્યો. બાળાઓ જ્યારે નવધણ પાસે પહોંચી ત્યારે નવઘણે પૂછયું, “બહેનો તમે કોણ છો ?” એટલે આઈએ જવા આપ્યો કે 'અમે ચારણ છીએ' પણ તમે કોણ છો રાએ કહ્યું “હું જુનાગઢનો રા નવધણ છું અને હાથ જોડ્યા એટલે આઈએ તેના દુખણા લીધા.” પછી રાએ પછ્યુ કે “અહીં આપ શું કરી રહ્યા છો” આઈએ કહ્યું અમારો નેસ થોડો દૂર છે પણ અમારે બધી સખીઓને માતાજીના નૈવેધ કરવા છે એટલે માતાજીની ખીર રાંધીએ છીએ. આપને પણ માતાજીનો પ્રસાદ લેવાનું ભાગ્યમાં હશે એટલે યોગ્ય સમયે અહીં પહોંચ્યા છે. માતાજીને નૈવેધ ધરાવી દઈએ અને હમણાં જ રોટલા તૈયાર થઈ જાય એટલે આપ સૌ માતાજીનો પ્રસાદ લઈ જમી ને પછી અહીંથી જજો. રા'એ હાથ જોડ્યા અને કહ્યું “આઈ અમે આટલા જણ જ નથી પણ મારી સાથે મારું લશ્કર પણ છે. અમે અહીં પડાવ નાખ્યો છે. અને ત્યાં ભોજન રાંધવા માટેની તૈયારી પણ કરી લીધી છે એટલે આઈ મને માફ કરો” આઈએ કહ્યું “ચારણો ના નેશ પરથી જમ્યા વગર જવાય જ નહીં. મારા ઓરડેથી કોઈ ભૂખ્યું જાય તો તો મારા 'વરવળ' ના બિરદ લાજે એટલે તમારા માણસોને બોલાવી લ્યો” નવધણ હજી વિચારે છે કે “આઈ પાસે આ કુલડી માં રાંધેલું ભોજન છે અને મારા આ મોટા લશ્કરને એનાથી કેમ જમાડી શકાશે ?” છતાં જે થાય તે ખરું એમ પોતાના લશ્કરના માણસોને બોલાવવા પોતાના સાથેના માણસને મોકલ્યો. આઈએ પોતાના બહેન સહદેવને વડ પર ચડી પાંદડા તોડવા કહ્યું. વડ પરથી પાંદડા પાડવા લાગ્યા.અને કેહવાય છે કે પાંદડા જમીન પર પડતા કાંસાની ઉજળી થારીઓ માં ફેરવાઇ ગયા. રા'નવધણ આ દ્રશ્ય જોઇ રહ્યો હતો તેને પણ લાગ્યુ કે આ ચારણ બાળા સાક્ષાત જગદંબા છે.
અહિ પંગત પડી બધાની આગળ કાસાની તાંસળીઓ મુકવામા આવી અને આઇ નાની કુલડી (નાની મટુકી) આડો લોબડીનો છેડો ઢાંકી ખીર પીરસવા લાગ્યા. કેહવાય છે કે ખીર તે દિ અક્ષયપાત્ર બની ગઇ એટલે સર્વને સંબોધી ને કહ્યુ કે ખીર, રોટલી, ધી બધાની તાંસળીમાં છે છતા કોઇને બીજી કાઇ વસ્તુ જમવાની ઇરછા હોય તો તાંસળી પર કપડુ ઢાંકી આંખો બંધ કરી તે વસ્તુનું ચિંતન કરજો આપો આપ તે વસ્તુ આપના ભાણામાં આવી જાશે.બધાએ તે પ્રમાણે કર્યું અને તેમની થાળીમાં તેમની મનપસંદ ચીજ પિરસાઈ ગઈ પણ કહેવાય છે કે એક નાદાન માણસને એવું લાગ્યું “આમ આંખ બંધ કરી માંગવાથી કાંઇ મનપસંદ વસ્તુ મળી શકે. આમ કાંઈ પાણા મળે” કહેવાય છે તેની થાળીમાં પથ્થર પિરસાયા. આઇએ સર્વને ખુબ આગ્રહ કરી જમાવ્યા છતાં એ કુલડી અણખુટ રહી.
વડલા નીચે થોડીવાર આરામ કર્યા પછી વિદાયની તૈયારી થવા લાગી. નવધણ પોતાની પાઘડીનો છેડો અંતરવાસ નાખી (ગળે વિંટાળી) હાથ જોડી માથું નમાવી આઈ પાસે વિદાયની આજ્ઞા માંગતા કહ્યું કે “આઈ હું મારી બહેન જાહલને કેદમાંથી છોડાવવા માટે સિંધ તરફ જાઉં છું. આઈ આપ આશિષ આપો એટલે સુમરાઓ સામે મારો વિજય થાય.” આઈએ કહ્યું “ખમા મારા વીરને નવલાખ લોબડિયાળીયું તારી રક્ષા કરે. જા મારા આશિષ છે તારો વિજય થશે.” નવઘણે કહ્યું “આઈ મારા માર્ગમાં આવતો હાકડો સમુદ્ર તો આઈ આવડના પ્રતાપે સુકાઈ ગયો છે પણ ચોમાસાના પાણી હજી તેમાં ભર્યો છે એટલે મારે ફેરાવાળા માર્ગે જવું પડશે તેથી વિમાશણ થાય છે.” આઈએ કહ્યું “વીર ફેરાવાળા માર્ગ ન જતાં સિધે માર્ગ જજે. સમુદ્ર પાસે તારા ભાલા પર એક કાળી ચકલી આવીને બેસશે તેને તું આઇના આશિર્વાદ સમજજે અને બીક રાખ્યા વગર તારા ઘોડા પાણીમા નાખજે.જા તારા ઘોડાને પગે છબછબીયા અને તારા કટકના ઘોડાના પગમાં ખેપટ ઉડતી આવશે. આ મારા તને આશીર્વાદ છે.” આ પ્રસંગને અમર બનાવતી દુહો છે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: