Pataleshwar Mahadev,પાતાળેશ્વર મહાદેવ ગીર Vlog
Автор: BG's Creation
Загружено: 2023-06-23
Просмотров: 6608
Описание:
#Har_har_mahadev
#Pataleshwarmahadev
#harharmahadev
#vlog #historyvideo #historyvlogs #gir #girforest #explorevideo #explore
મધ્યગીરમાં આવેલા આ પાતાળેશ્વર મંદિરનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં જોવા મળે છે. પતંજલિ ઋષિનાં સમયે પણ આ મંદિર હાલની જગ્યાએ જ હતું. અને આ શિવલિંગ સ્વયંભૂ એટલે કે પાતાળમાંથી પ્રગટ થયેલું છે.
ગીર સોમનાથનાં ગીરગઢડા પાસે બાબરીયાનાં જંગલમાં પાતાળેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. પાતાળેશ્વર મહાદેવનું આ મંદિર ગીર જંગલ સેન્ચ્યુરી વિસ્તારમાં આવેલું છે. આ મંદિરમાં વર્ષમાં માત્ર બે વખત જ શ્રદ્ધાળુઓને દર્શન કરવા જવા દેવામાં આવે છે. શિવરાત્રી દરમિયાન 5 દિવસ અને શ્રાવણ માસ આખો યાત્રાળુઓને દર્શન અર્થે વન વિભાગ દ્વારા પરવાનગી આપવામાં આવે છે. અતિ પ્રાચીન આ મંદિરે શ્રાવણ માસ દરમિયાન ભાવિકોનો પ્રવાહ ઉમટે છે.
ગીર સોમનાથ જિલ્લાનાં બાબરીયા ગીર વિસ્તારમાં આવેલા નેશનલ પાર્ક ગીરનાં, જે હાલ સોળે કળા એ ખીલ્યું છે, અને આ વિસ્તારમાં રાષ્ટ્રિય ઉધાન હોવાના કારણે સામાન્ય નાગરિક માટે પ્રવેશ બંધ છે.
બાબરીયાનું આ જંગલ સિંહો, દીપડા સહિતનાં પ્રાણી ઓનું રહેઠાણ છે. એટલે આ ગીરને 1990 માં સેન્ચુરી એરિયા જાહેર કર્યું છે. બસ અહીં સંભળાય છે તો માત્ર ડાલા મથ્થાની ડણક જે ભલ ભલાના હાજા ગગડાવી નાખે છે
આ મધ્ય ગીરમાં બિરાજે છે દેવોનાં દેવ મહાદેવ. આ મહાદેવ અહીં પાતાળેશ્વર નામે બિરાજમાન છે. કહેવાય છે કે પાતાળેશ્વર મહાદેવનાં દર્શન કરવા એ પણ ભાગ્યની વાત છે.
હવે વાત કરીએ આ મહાદેવનાં અલૌકીક ઇતિહાસની. કઈ રીતે બિરાજ્યા અહીં પાતાળેશ્વર મહાદેવ! મધ્યગીરે આવેલા આ પાતાળેશ્વર મંદિરનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં જોવા મળે છે. પતંજલિ ઋષિનાં સમયે પણ આ મંદિર હાલની જગ્યાએ જ હતું. અને આ શિવલિંગ સ્વયંભૂ એટલે કે પાતાળમાંથી પ્રગટ થયેલું છે.
એવું પણ કહેવાય છે કે, હજારો વર્ષો પહેલા પાંડવો એ પોતાના વનવાસ દરમ્યાન 7 વર્ષ અને 4 મહિના ગીરનાં જંગલમાં વસવાટ કર્યો હતો. ભીમને વ્રત હતું કે, તેઓ શિવજીનાં દર્શન અને પૂજા કર્યા સિવાય ભોજન લેતા નહીં. જેથી પાંડવો એ ગીરમાં પ્રાચીન શિવાલયો શોધ્યા હતા.
રૂધિરેશ્વર, બાણેશ્વર, ભીમચાસ,ભીમદેવળ, કુશેશ્વસર, બથેશ્વર સહિતનાં આ પાતાળેશ્વર મહાદેવ મંદિરની પૂજા પાઠ પાંડવો કરતા હતા. આ શિવાલય પાતાળમાંથી સ્વયંભૂ પ્રગટ થયું હતું. જેથી તે પાતાળેશ્વર મહાદેવ તરીકે ઓળખાયા.
ગુજરાત અને દેશનાં ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં શિવ ભક્તો શિવરાત્રી અને શ્રાવણ માસમાં અહીં ઉમટે છે. તો ગીરમાં શ્રદ્ધાળુઓને પ્રસાદી રૂપે ભોજન પણ અહીં આપવામાં આવે છે. વર્ષ ભર સામાન્ય લોકો માટે અહીં પ્રતિબંધિત વિસ્તાર હોવાના કારણે વન વિભાગ દ્વારા આ શિવાલયની જાળવણી કરવામાં આવે છે. કહેવાય છે કે આ શિવાલય સાથે માલધારીઓની મોટી આસ્થા જોડાયેલી છે. પાતાળેશ્વર મહાદેવનાં દર્શન કરનારને મન વાંછિત ફળ મળે છે.
મધ્યગીરમાં આવેલા પાતાળેશ્વર મંદિરે વર્ષ દરમ્યાન સામાન્ય લોકોને પ્રતિબંધ હોઈ છે. પરંતુ આ શિવાલય સિંહોની પહલી પસંદ છે. ચૈત્ર અને ભાદરવાનાં ધોમધખતા તાપમાં સિંહો અહીં મહાદેવનાં ઓટા પર કલાકો સુધી બેઠા રહે છે
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: