આજની આરતી મોગલધામ કબરાઉ || MogalDham Kabrau || Arati Ajani
Автор: Dhanbai Maa Official | મોગલ ધામ કબરાઉ | MogalDham
Загружено: 2025-09-15
Просмотров: 2392
Описание:
આજની આરતી મોગલધામ કબરાઉ || MogalDham Kabrau || Arati Ajani #Arati Mogaldham #mogaldham
ભાગ ૨
મહાકાળીએ મચ્છરાળી મોગલ
કાંકળવાળી લેર કરે’
(ઉપરના છંદ એટલે મહાકાળીમાંથી માં મોગલનું અવતરણ થયું)
મોગલનું આ મહાકાળીરૂપનું દર્શન કરી લોકોમાં હાહાકાર મચી ગયો. માને પગે લાગવા માંડયા પરંતુ માતાજીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તેની કોઈને જાણ ન હતી. આ સમયે માં મોગલે ધરતીને અરજ કરી મને તારામાં સંભાળી દે અને ધરતી ફાટવા માંડી પરણેતરના કપડા પહેરેલા અને મોગલ ધીમે-ધીમે ધરતીમાં સમાવવા લાગ્યા. વાંજીના મનમાં સંકોચ થવા લાગ્યો કે એક તાળીનાં કારણે માએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. લોકોને ખબર પડશે તો જીવવું મુશ્કેલ થઈ જશે. વાંજી આવીને દોડીને આઈના પગમાં પડી અને બોલ્યા કે ‘તાર તોય મારી તું ને માર તોય મારી તું’ એટલે માંએ દયા ખાઈ વાંજીને ખોળામાં લીઘી તો આ કારણે વાંજી આજે પણ ભીમરાણા મોગલ માં સ્થાયે સ્થાપિત છે અને હાલ પણ ભીમરાણાના ફળામાં મેલડી માં, સિકોતેર માં, આઈ વાંજી, વચ્છરાજ સોલંકી અને વીર કે જે ક્ષેત્રપાળ છે.
મોગલ માં ગોરવીયાળીની ધરતીમાં સમાઈ ગયા અને હાલ મોગલ પણ ગોરવી મોગલ તરીકે ઓળખાય છે. ધરતીમાં સમાતા સમયે મોગલ માંના શબ્દો હતા કે, ‘ બાપ ચારણો માટે હરહંમેશ આશીર્વાદ રહેવાના અને નવ લાખ લોબળીયાળીને જન્મ માટે ચારણનો જ ખોળો જોઈએ અન્ય કુળમાં આઈ નો અવતરે’. નવ લાખ લોબળીયાળીમાંથી મોગલે મહાકાળીમાંથી અવતરેલ છે
ઉપરાંત આઈએ જણાવ્યું કે, ધરતીમાં સમાતા સમયે જે પરણેતરનો પોષાક પહેર્યો હતો. આઈ બોલ્યા કે આ પોષાક પહેર્યો છે તેના કારણે એમનો જે પરીવાર છે તે દર ત્રણ વર્ષે માંને આ પોષાક પહેરાવે એટલા માટે મોગલ માંનો તરવાળો રાતના ૧૨ વાગ્યે પહેરાય છે અને એ વખતે માંનો ભુવો હોય તે છાબને અડી અને ધાબળી લેવા જાય એટલે સેકન્ડ વારમાં આકાશમાંથી માં મોગલનું કિરણ આવી અને જે સમાજ બેઠો હોય તેના પર પડે અને લોકોમાં કોટીના પાપ નષ્ટ થાય તેવા મોગલ માંના આશીર્વાદ છે. આમ છાબને અડવા માં મોગલ આવે અને ત્રણ વર્ષે આઈને વસ્ત્રો ચડાવવામાં આવે તેનું નામ તરવાળો. તરવાળા માટે એક ચારણી ચરજ છે.
#mogaldham #mogal_dham_kabrau_kutch #mogalmaa #mogalmaastatus #mogalmaawhatsappstatus2022 #mogalchedtakalonagdj #mogalwala #mogalmaanewstatus #mogal_dham_vadnagar
.
પછી રાજાએ તે ચારણને બોલાવી યંત્ર વગાડવા કહ્યું ત્યારે ચારણે તાર મેળવ્યા પણ તાર મળ્યા નહિ ત્યારે ચારણે જણાવ્યું કે સાચી ક્ષત્રિયાણીને બેસાડો આ પરસ્ત્રી સામે મારૂ યંત્ર સુર નહિ આપે ત્યારે રાજાએ સાચી ક્ષત્રીયાણીને બેસાડી ઈડરનાં રાજાને યંત્ર વગાડી સંભળાવ્યું રાજા લીન થઈ ગયા. ત્યારે રાજા ધરેણા સોના મહોરો આપવા માંડયા ત્યારે ચારણ બોલ્યો કે મારે ધરેણાની ભૂખ નથી રાજપૂત બોલ્યાકે જે જોય તે બોલો ત્યારે ચારણે કહ્યું કે આ જે સ્ત્રીના રૂપમાંમોહી પરણ્યા છો તેને છોડી સાચી ક્ષત્રીયાણી બેસાડો ત્યારે રાજાએ ચારણનું માન રાખી ક્ષત્રીયાણીને બેસાડયા ચારણ ભૂજ પાછા ફર્યા અને ભૂજનાં રાજાને પત્ર આપો કે રાજકુવરી હવે ઈડરમાં સલામત છે. ત્યારે ભૂજના રાજાએ ઈડર ગયા ત્યારે પરત ફરતા રસ્તામાં વોંઘ આવ્યું ત્યારે તમામ લોકો બોલ્યા કે ભૂજના રાજા આવે છે તો વ્યવસ્થા કરવી પડે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: