#કચ્છમાં
Автор: KUTCH KANOON AND CRIME NEWS
Загружено: 2024-09-04
Просмотров: 732
Описание:
કચ્છના ખેડૂતે કહ્યું પ્રાકૃતિક ખેતીએ વરસાદના નુકશાનથી બચાવ્યા...
#Farmer in #Kutch said that due to the natural method, the crop was saved in our field due to non-logging of rain water...
#Kutchkanoonandcrime #kkcnews #youtube #news #kutchnews
#youtubenews #newschannel #politicnews #crime_news #newschannel #samachar #newstoday #newsheadlines
#Social #media #gujratnews
#Breakingnews #dailynews
#dailynewsupdate #dailynewstelevision
#mundranews #bhujnews #abadasanews #nakhtrananews
#anjarnews #bhachaunews
#gandhidhamnews #raparnews
#mandvinews #samachar
#kkccrimenews
#માંડવી તાલુકાના વરઝડી ગામના મણીલાલભાઇ માવાણીએ કહ્યું પ્રાકૃતિક પધ્ધતિના કારણે છીદ્રાળુ બનેલી જમીનમાં વરસાદી પાણી ન ભરાતા પાક બચી ગયો...
#રાસાયણિક ખેતી કરનારા ખેડૂતોના ઉભા મોલને પાણી ભરાવવાના કારણે નુકશાન થયું છે જયારે પ્રાકૃતિક ખેતી કરનાર જગતના તાતને ભૂગર્ભજળના રીચાર્જ સાથે પાકનો બચાવ થતાં ડબલ ફાયદો થયો છે...
#પ્રાકૃતિક ખેતીમાં સેન્દ્રીય પદાર્થો, સૂક્ષ્મ જીવાણુ અને અળસિયાની ગતિવિધિના કારણે છિદ્રાળુ જમીનમાં પાણી ઉતરી જઇને સંગ્રહીત થાય છે : અછતમાં છોડને જરૂરી ભેજ સાથે પોષણ વ્યવસ્થાપન પણ થાય છે...
#ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનું અભિયાન ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી સમગ્ર રાજ્યમાં આજે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવી રહી છે. ત્યારે ભારે વરસાદ જેવી કુદરતી આફત વચ્ચે પણ પ્રાકૃતિક ખેતીના ફાયદા જગતના તાતને થઇ રહ્યા છે. હાલ કચ્છમાં ભારે વરસાદની સ્થિતીમાં વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સૌથી મોટો ફાયદો જમીનમાં પાણી ન ભરાવવાના કારણે થયો છે. એક તરફ રાસાયણિક ખેતી કરતા ખેડૂતોના ખેતરો પાણીથી જળબંબાકાર હતા ત્યાં બીજીતરફ પ્રાકૃતિક ખેતી કરનાર કિસાનોની જમીનમાં ગણતરીની કલાકમાં પાણી ઉતરી ગયા હતા. આમ, પ્રાકૃતિક ખેતી માત્ર સારા ઉત્પાદન માટે નહીં પરંતુ જળ વ્યવસ્થાપનના કારણે ઊંડા જઈ રહેલા ભૂગર્ભજળના સ્તરને સુધારવા, અતિવૃષ્ટિ કે ભારે વરસાદમાં પાકને નુકસાનથી પણ બચાવે છે.
#માંડવી તાલુકાના વરઝડી ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા મણીલાલભાઇ માવાણીને ભારે વરસાદ વચ્ચે પાણી ભરાવવાથી કોઇ જ નુકશાનનો સામનો કરવો પડ્યો નથી. તેઓ કહે છે હાલ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની પરિસ્થિતીમાં માંડવી તાલુકો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યો હતો. દિવસો સુધી સતત એકધારા વરસાદના કારણે અનેક ખેડુતોની વાડીમાં પાણી ભરાઇ જવાની સમસ્યા ઉભી થતાં ઉભા પાકને નુકશાન થવા પામ્યું છે ત્યારે બીજીતરફ વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરી હતી જેથી તેઓના ખેતરમાં કોઈ પણ જાણતું નુકસાન થયું નથી જેના કારણે મણીલાલ જેવા અનેક ખેડૂતો આ સમસ્યાથી ઉગરી ગયા હતા...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: