નડીયાદ: લઘુમતી સમાજમાં ભારે રોષ મતદાર યાદી સુધારણા બાદ હજારો નામો કમી થતા પાઠવ્યુ આવેદનપત્ર
Автор: G 24X7 NEWS
Загружено: 2026-02-06
Просмотров: 213
Описание: ખેડા જિલ્લામાં તાજેતરમાં કરાયેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા બાદ અંદાજે ૧૨,૫૦૦ જેટલા મતદારોના નામ કોઈપણ પૂર્વ જાણકારી વગર કાઢી નાખવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આ મુદ્દે ખાસ કરીને લઘુમતી સમાજમાં ભારે રોષ અને ચિંતા ફેલાઈ છે.રતનપુર, સંધાણા અને મેલેજ જેવા ગામોમાં જંગી પ્રમાણમાં મતદારોના નામ કાપવામાં આવતા ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ત્રાહિત તેમજ બહારના ગામના કેટલાક લોકો દ્વારા ફોર્મ નંબર 7 ભરીને વ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે વાંધા રજૂ કરવામાં આવ્યા.આશ્ચર્યજનક રીતે, બીએલઓ દ્વારા ઘરે-ઘરે જઈને કરાયેલી તપાસને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી તંત્રએ બારોબાર નામો કમી કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. રતનપુર ગામમાં તો વર્ષ 2002થી નોંધાયેલા કાયદેસરના મતદારોના નામ પણ મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, વર્તમાન સરપંચ અને પંચાયતના સભ્યોના આખા પરિવારના નામો પણ યાદીમાં ન મળતા ભારે ખળભળાટ મચ્યો છે.સોખડા, રઢુ અને સાયલા જેવા અન્ય ગામોના લોકો દ્વારા રતનપુરના મતદારો સામે વાંધા ઉઠાવવામાં આવતા તંત્રની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે. આ સમગ્ર ઘટનાને લઈ ચોક્કસ સમુદાયના લોકોને મતાધિકારથી વંચિત રાખવા રાજકીય ઈશારે ખેલ ખેલાયો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.આ મામલે અસરગ્રસ્તોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ખોટા વાંધા રજૂ કરી તંત્રને ગેરમાર્ગે દોરનારા શખ્સો સામે ફોજદારી ફરિયાદ અને FIR નોંધવાની માંગ કરી છે.સાથે સાથે ચેતવણી આપવામાં આવી છે કે જો તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરીને મતદારોના નામ ફરીથી ઉમેરવામાં નહીં આવે, તો મામલો હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જવામાં આવશે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: