009 - SHREE SAMAYSAR PRAVACHAN - Pt. SHAILESHBHAI SHAH DT:19/02/2026
Автор: Vastrapur Mandir
Загружено: 2026-02-18
Просмотров: 1290
Описание:
009 - SHREE SAMAYSAR PRAVACHAN
POORVARANG ADHIKAR – MANGLACHARAN
Pt. SHAILESHBHAI SHAH
DT:19/02/2026
💥આદરણીય પંડિત શ્રી શૈલેષભાઇ ના તા. ૧૯.૨.૨૬ ના પ્રવચન ના મુખ્ય અંશો.
💥શ્રી સમયસાર શાસ્ત્ર ની શરૂઆત પહેલા અનુવાદ કરનાર પંડિત શ્રી જયચંદજી છાબડા કેટલાંક પદો લખીને માંગલિક કરે છે.
🌹દેવ,શાસ્ત્ર અને ગુરુને નમીને સમયસાર શાસ્ત્ર ની શરૂઆત કરે છે.
🪻સમયસાર ના શબ્દો વાચક છે અને તેનું વાચ્ય ભગવાન પરમબ્રહ્મ છે.
💐'સમય' શબ્દના આગમ અનુસાર ત્રણ અર્થ કર્યા છે.......શબ્દ સમય, અર્થ સમય અને જ્ઞાન સમય.
🌸ઉદાહરણ :- 'કેરી' શબ્દ ક્યાંક લખ્યો છે, 'કેરી' નામનો પદાર્થ અને 'કેરી' નું જ્ઞાન થાય. એ રીતે કેરી શબ્દ એ શબ્દ સમય, કેરી નામનો પદાર્થ એ અર્થ સમય અને કેરીનું જ્ઞાન થયું તે જ્ઞાન સમય.
🍀સિદ્ધાંત:- 'હું પરમાત્મા છું' તેવું શાસ્ત્રમાં લખ્યું છે. તે શબ્દ સમય. 'પરમાત્મા' નામનો પદાર્થ(વસ્તુ) તે અર્થ સમય અને 'હું પરમાત્મા છું' તેવો અંદરમાં સ્વીકાર થયો તે જ્ઞાન સમય.
🌱આગમ અનુસાર બીજા ત્રણ અર્થ પણ કર્યા છે......મત સમય, સિદ્ધાંત સમય અને કાળ સમય.
💥આખા સમયસાર નો સાર ત્રિકાળ શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ --એને જ્ઞાની જનો પર્યાયમાં ગ્રહે છે. તેને ગ્રહવો તે જ આખા સમયસાર નો સાર છે.
💥કોઈ પણ ગ્રંથ ની શરૂઆતમાં છ મુખ હોય છે... તે આ પ્રમાણે....મંગલ, નામ, નિમિત્ત, પ્રયોજન, પરિમાણ, કર્તા.
🌻પવિત્રતાને પમાડે અને અપવિત્રતાનો નાશ કરે તે મંગલ.
🪷'સમયસાર; તે 'નામ'.
🌺'સમયસાર' ગ્રંથ કોના નિમિત્તે બનાવ્યું?....જીવો ના નિમિત્તે બનાવ્યું.
🍀વીતરાગ દશા પ્રગટ કરવી તે પ્રયોજન'.
🌲તેનું પરિમાણ એટલે ૪૧૫ ગાથાઓ.
🌻તેના કર્તા ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય.
💥ભગવાન આત્મા એ જિનરાજ(દેવ). વસ્તુના અનેકાંતસ્વરૂપને બતાવનારી વીતરાગવાણી તે સ્યાદવાદ છે. અને મિથ્યાત્વની અંદરની ગાંઠ અને બહારમાં વસ્ત્ર રૂપી ગાંઠ જેમની છૂટી ગઈ છે તે મુનિરાજ (ગુરુ).
💥આવા દેવ, શાસ્ત્ર અને ગુરુને કે જે આનંદ આપનારા છે તેમને હું નમું છે તેમ કહે છે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: