#ગાંધીધામમાં
Автор: KUTCH KANOON AND CRIME NEWS
Загружено: 2026-02-07
Просмотров: 7415
Описание:
#ગાંધીધામમાં ટાગોર રોડ પર યમદૂત બનીને મોતનો તાંડવ મચાવનારા પૈસા અને પાવરના નશામાં ધૂત થઈ અકસ્માત સર્જી બે જિંદગીનો ભોગ લેનારા ચાર નબીરા ઝડપાયા...
#ગાંધીધામના ટાગોર રોડ પર ગત મધરાત્રે યમદૂત બનીને પૂરઝડપે દોડતી બેફામ કાર અકસ્માતે શહેરમાં ચકચાર મચાવી દીધું હતું. માલેતુજાર ફરજંદા પૈસા અને પાવરના નશામાં ધૂત નબીરાઓ દ્વારા હંકારાતી કારએ ઊભેલા દ્વિચક્રી વાહનોને ટક્કર મારતા ચાર યુવકોને અડફેટે લીધા હતા, જેમાં બે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા જ્યારે બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત ગત મધરાત્રે આશરે બે વાગ્યાના અરસામાં ગાંધીધામના રોટરી સર્કલ નજીક થયો હતો. પૂરઝડપે જતી કારએ એક્ટિવા અને બાઇકને ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે યુવકો ઉછળી નીચે પટકાયા હતા અને ગાડી સાથે ઢસડાતા હતા, જેમાં બંને યુવકોનું ગંભીર ઈજાઓને કારણે મોત થયું હતું અને બે યુવકો ઘાયલ થયા હતા. અકસ્માત બાદ કાર ડિવાઈડર સાથે અથડાઈ અમે ઉપર ચઢી ગઈ હતી, જેમાં થાંભલો પણ ધરાશાયી થયો હતો. Dysp સાગર સાંબડાએ વિગતો આપતા કહ્યું હતું કે, અકસ્માત સર્જનાર કાર નીતિન મુકેશ ગોસ્વામી, દીપક ઈશ્વરલાલ ધુલાણી, તરુણ જીતેન્દ્રભાઈ રીજવાણી અને મનીષ અશોકભાઈ ખેમચંદાણી સવાર હતા. અકસ્માત બાદ એક યુવકને લોકોએ પકડી બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો અને બાકીના ત્રણ આરોપી ભુજ તરફ નાસી ગયા હતા, પરંતુ પોલીસે ઘટનાની ગંભીરતા સમજી ઝડપથી ટીમો બનાવી બાકીના ત્રણેય આરોપીને દબોચી લીધા છે. હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે. પોલીસ દ્વારા આરોપીઓ નશામાં હતા કે નહીં, કારની ગતિ કેટલી હતી, કારમાંથી કઈ નશાકારક વસ્તુ મળી છે કે નહીં તે તમામ પાસાઓની તપાસ કરવામાં આવશે. પોલીસે ઘટનાની ગંભીરતા સમજી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં મહેશ્વરી સમાજના બે યુવકોના મોત બાદ સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જ્યાં સુધી ચારે આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. સમાજના અગ્રણી હિતેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે ચાર યુવકો દારૂના નશામાં બેફામ કાર હાંકી આ ઘટના સર્જી હતી. જોકે પોલીસે ચારે આરોપીને પકડી લેતા આખરે મહેશ્વરી સમાજ અને પરિવારના સભ્યો દ્વારા ડેથબોડી સ્વીકારી અંતિમ વિધિની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ગંભીર અકસ્માતે ફરી એકવાર ગાંધીધામમાં પૈસા અને પાવરના નશામાં ધૂત નબીરાઓએ વધુ બે આશાસ્પદ યુવાનોનો ભોગ લીધો છે આ કેસમાં તટસ્થ તપાસ થાય, પરિવારને ન્યાય મળે અને આવા પૈસા અને પાવરના નશામાં ધૂત નબીરાઓ બીજી વખત કોઈનો ભોગ ન લે તેવી કડકમાં કડક સજા થાય તેવી માંગ લોકોએ કરી છે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: