પાટણની શેઠશ્રી એન.જી.પટેલ પ્રાથમિક શાળામાં ‘ટહુકાર-૨૦૨૬’ વાર્ષિક ૧૫૯ તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન
Автор: @aajkabharatnews24
Загружено: 2026-03-09
Просмотров: 32
Описание:
પાટણની શેઠશ્રી એન.જી.પટેલ પ્રાથમિક શાળામાં ‘ટહુકાર-૨૦૨૬’ વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી: ૧૫૯ તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન
સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ૩૫૪ વિદ્યાર્થીઓએ કૃતિઓ રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા
શાળાના વિકાસ માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને દાતાશ્રીઓ દ્વારા લાખોનું દાન અર્પણ
શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં હરહંમેશ અગ્રેસર રહેતી પાટણની શેઠ શ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલ (એમ.એન.) પ્રાથમિક શાળાનો વાર્ષિકોત્સવ “ટહુકાર-૨૦૨૬” શાળાના પટાંગણમાં અત્યંત ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રે શાળાનું નામ રોશન કરનાર કુલ ૧૫૯ વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં:
શાળામાં પ્રથમ અને દ્વિતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓ.
ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ ૭૭ મેડલ અને રાજ્ય કક્ષાએ મેડલ મેળવનાર ખેલાડીઓ.
કલા મહાકુંભમાં વિજેતા (રાસ-ગરબા) અને બાળ પ્રતિભા શોધમાં જિલ્લા કક્ષાએ વિજેતા ૧૨ વિદ્યાર્થીઓ.
NMMS સ્કોલરશીપ અને SGFI રમતોમાં રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ.
તમામ વિજેતાઓને ટ્રોફી, મેડલ, રોકડ પુરસ્કાર, સર્ટિફિકેટ અને સ્કૂલ બેગ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
શાળાની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને દાતાશ્રીઓએ ઉદાર હાથે દાનની સરવાણી વહાવી હતી. જેમાં મુખ્યત્વે
મનસુખભાઈ પટેલ ₹૫૧,૦૦૦/-
ટીનુભાઈ મોતીભાઈ પટેલ: ₹૨૧,૦૦૦/- (પુસ્તકાલય માટે)
પથીકભાઈ અને દીતીબેન ભરતભાઈ પટેલ: ₹૪૨,૦૦૦/-
ડો. જયકુમાર જી. પટેલ ₹૨૧,૦૦૦/-
વાય. કે. ઝાલા, આશિષભાઈ પટેલ અને સુનિલકુમાર પટેલ દ્વારા પણ માતબર રકમ અર્પણ કરવામાં આવી હતી.
બાલમંદિરથી ધોરણ-૮ સુધીના કુલ ૩૫૪ વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. જેમાં ગણેશ વંદના, માતૃવ્હાલ, શિવ નૃત્ય, શિવાજી ગાથા, ઓપરેશન સિંદૂર, રાષ્ટ્રપ્રેમ અને નવદુર્ગા જેવી કૃતિઓએ સામાજિક સંદેશ પૂરો પાડ્યો હતો. શાળાના આચાર્ય વસંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, "શિક્ષણની સાથે સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ બાળકના સર્વાંગી વિકાસ માટે અનિવાર્ય છે."
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉ.ગુ.યુ. મંડળના મંત્રી મનસુખભાઈ પટેલ, ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ, ઉદ્ઘાટક તરીકે મોતીભાઈ. પટેલ અને ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે ડો. જયકુમાર પટેલ, નગરસેવક મનોજભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, આચાર્ય ડો. ધનરાજભાઈ ઠક્કર સહિત શાળા પરિવાર અને મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: