Bhavnagar News || નવનીત બલઘીયા હુમલા કેસમાં જયરાજ આહીરને જામીન, 14દિવસ બાદ જેલમુક્તિ
Автор: Gujju Vaat Bedhadak
Загружено: 2026-02-07
Просмотров: 71
Описание:
ભાવનગરના બહુ ચર્ચિત નવનીત બલઘીયા હુમલા કેસમાં આખરે જયરાજ આહીરના જામીન મંજૂર થતા તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. 14 દિવસ બાદ મહુવા કોર્ટ દ્વારા જયરાજ આહીરને જામીન મળતા ભાવનગર જિલ્લા જેલમાંથી તેમની સાથે અન્ય આરોપીઓ પણ મુક્ત થયા હતા.
બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બલઘીયા ઉપર હુમલાની ઘટના સંદર્ભે 29 ડિસેમ્બરના રોજ બગદાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. સમગ્ર પ્રકરણની તપાસ એસ.આઈ.ટી. દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેમાં જયરાજ આહીર સહિત કુલ 14 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસમાં અગાઉ આઠ આરોપીઓને જામીન મળ્યા હતા, જ્યારે આજે મહુવા કોર્ટ દ્વારા જયરાજ આહીર સહિત અન્ય આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવતા તેઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
જેલમાંથી મુક્ત થતી વેળાએ જયરાજ આહીરે પોતાની કારમાંથી શ્રીમદ ભાગવત ગીતા બતાવી હતી, જે દૃશ્યો ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.
ગુજજૂ વાત બેધડક સાથે વૉટ્સએપ પર જોડાવવા માટે લિંક પર ક્લિક કરો.
https://whatsapp.com/channel/0029Vb7M...
#Bhavnagarnews #bhavnagar #bhavnagarmahanagarpalika #news #breakingnews #saurashtranews #latestnews #gujaratinews #gujrat #todaynews #aajna_taja_samachar #aajnasamachar #police #politics #cm #gujratsamachar #bhavnagarsamachar #automobile #bike #livenews #newsupdate #bhavnagari #gujju #bhavnagarrains #bhavnagarfood
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: