સિધ્ધપુર સરસ્વતી નદી કાંઠે 135 પાટણવાડા વણકર પંચ (ધિણોજ પક્ષ) પરગણું દર વર્ષ જેમ પરંપરા મુજબ મળ્યું
Автор: JayHind Paresh Zala News Reporter & Social Worker
Загружено: 2025-11-05
Просмотров: 1622
Описание:
સિધ્ધપુર સરસ્વતી નદી કાંઠે 135 પાટણવાડા વણકર પંચ (ધિણોજ પક્ષ) પરગણું કારતક માસ પૂનમ મેળા માં દર વર્ષ જેમ પરંપરા મુજબ મળ્યું
135 પાટણવાડા વણકર પંચ નાં બે ભાગ એક થાય તે સામે સંયુક્ત બંધારણ પક્ષે જીદ પકડી હોય સમાજ હિત એકતા સાથે નાં હોય બે પંચ માણસો સાથે વાતચીત ના કરતાં બે આગેવાનો મધ્યસ્થી રદ કરવામાં આવી
135 પાટણવાડા વણકર પંચ સંયુક્ત બંધારણ ને બે આગેવાનો મધ્યસ્થી માટે માંગ્યા હતા તે મુજબ અગાઉ ઘણા સમયથી ધિણોજ પક્ષે બે આગેવાનો મધ્યસ્થી કરવા માટે નિમણુંક કરવામાં આવી પણ સામે પક્ષે આગેવાનો જિદ્દ નાં કારણે સમાજ હિત માટે એકતા થઈ શકતી જોવા મળતી નથી
135 પાટણવાડા વણકર પંચ સંયુક્ત બંધારણ અને ધીણોજ પંચ ના બંને એકબીજા ધિણોજ પક્ષના માણસોને માને એટલે સમાધાનની આગળ વાત થશે
પાટણ જિલ્લાના સિધ્ધપુર શહેર માં સરસ્વતી નદી કાંઠે 135 પાટણવાડા વણકર પંચ (ધિણોજ પક્ષ) પરગણું દેવદિવાળી કારતક માસ પૂનમ મેળા દરમિયાન દર વર્ષે પરંપરા મુજબ મળે છે આજે તારીખ ૦૫/૧૧/૨૦૨૫ બુધવાર ના રોજ 135 પાટણવાડા વણકર પંચ (ધિણોજ પક્ષ) પરગણું પરંપરા પ્રમાણે મળ્યું જેમાં વણકર સમાજ નાં બે ભાગ છે તે માટે અન્ય સંયુક્ત બંધારણ પક્ષના પરગણા એ બે આગેવાનો મધ્યસ્થી માટે માંગ્યા હતા તે ઘણા સમયથી ધિણોજ પક્ષે નક્કી કર્યા હતા પરંતુ સામે 135 વણકર સમાજ સંયુક્ત બંધારણ પક્ષે મોટું મન રાખીને વાતચીત કરવાની જગ્યાએ વણકર સમાજ વાડી પાટણ માં આવવા માટે એકતા વાતચીત કરવા માટે જીદ્દ કરી હોય તેવું સ્પષ્ટ લાગતા 135 પાટણવાડા વણકર પંચ ધિણોજ પક્ષે આવેલ વણકર સમાજ ગામ ના અગ્રણીઓએ ચર્ચા વિચારણા કરી જેમાં જણાવાયું કે એક પરગણું બીજા પરગણાને કહી શકે નહીં આતો નાથ ગંગા કહેવાય અને કોઈપણ પ્રકારના વણકર સમાજ પરગણા ગુના વગર આવી રીતે મધ્યસ્થી માટે પરગણું આગેવાનો માગે તે યોગ્ય નથી તો આખરે 135 પાટણવાડા વણકર સમાજ પંચ ધિણોજ પક્ષે બે આગેવાનો મધ્યસ્થી નિમણુંક કરાઈ હતી જે આજે રદ કરી દેવામાં આવી હવે જ્યારે પણ એકતા કરવી હોય ત્યારે બંને પરગણાએ જેમ અગાઉ ત્રણ પરગણામાંથી પચીસ પચીસ આગેવાનો મધ્યસ્થી કરી મળ્યા તે પ્રમાણે હશે તો જ એકતા માટે સંમતિ થશે જો તેમ ના હોય તો સામે 135 વણકર સમાજ પંચ સંયુક્ત બંધારણ પક્ષ પરગણું પાંચ કે તેથી વધુ આગેવાનો મધ્યસ્થી માટે 135 વણકર સમાજ પંચ ધિણોજ પક્ષે મોકલી આપે તો બંને પરગણાની એકતા વાતચીત કરી થઈ શકે. 135 પાટણવાડા વણકર સમાજ પંચ ધિણોજ પક્ષના અગ્રણી જયંતિભાઈ જાદવ ગામ કંબોઈ એ પોતાના નિવેદનમાં જણાવ્યું કે 135 પાટણવાડા વણકર સમાજ પંચ ધિણોજ આજે અમે પરંપરા મુજબ સિધ્ધપુર ના મેળા માં મળેલ એની અંદર સમાધાન રૂપી અમે બે બાબતે આજે નિર્ણય કર્યો એક નિર્ણય અમે એવો કર્યો કે પરગણા ની અંદર સમાધાન કરવું સમાધાન માટે વાડી પક્ષ માણસો ધિણોજ પંચમાં જઈને રજૂઆત કરવી હોય એ અમે સમાધાન માટે ઓકે રેડી છીએ પણ જે અમને ત્યાં બોલાવવા માગતા હતા પંચ મળે ત્યાં અમારું બંધારણ વાળા વ્યક્તિ એ પણ બંધારણ વાળા વ્યક્તિ બંધારણમાં જ્યાં પરગણું મળે ત્યાં એકબીજા બંધારણ વાળા વ્યક્તિ જઈ શકે નહીં એના માટે અમે આજે એવો નિર્ણય કર્યો કે જો સમાધાન અમારે કરવું એમને કરવું પણ ધીણોજ પંચમાં ગઈ ફેરા એ લોકો ગયેલા અને હવે જાય અમે સમાધાન કરવા માટે તૈયાર છીએ અને અમે એમની રજૂઆત કાયમ જાણી છે કે તે લોકો સામે ચાલીને ધીણોજમાં આવે રજૂઆત કરવા માટે એટલે ધીણોજ પંચને રજૂઆત કરવું 135 પરગણા ની વધુ સારી શુદ્ધ રીતે બંધારણ થાય તે રીતે અમે વર્તવા તૈયાર છીએ તો અમે 135 વાડી પક્ષના માણસોને વિનંતી કરીએ કે હવે સમજવાની બંધારણની થોડી મજબૂતાઈથી નિર્ણય કરી આગળ વધો તેવી અમે શુભેચ્છા વાડી પક્ષમાં લગભગ આ પાંચમું બંધારણ ને તોડે છે કાયમ માટે બોલાવે સમાધાન કરે તોડે પણ હવે યુવા મિત્રો બહેનો દીકરીઓ બંધારણ માટે રાહ જોઈ રહી છે તો આ મુદ્દો કાયમ માટે આ નહીં તો તે નહીં તો આ પણ જરૂરી હવે 135 માં જરૂરી છે કે બંધારણ તાત્કાલિક કરી અને 135 ની મજબૂત કરવાની એક અમારી વિનંતી છે કે વાડીપંચને થોડી ઢીલાશ મૂકી જરૂરિયાત છે અમારા પરગણાને અમે જે બે માણસો પ્રતિનિધિ મુક્યાં તેની અંદર ના અમે ધિણોજ પક્ષના 1135 ના બંધારણ વાળા માણસો અમારું બંધારણનું અહિત થાય હિત ન જળવાય તે લોકો કે અમે જ્યારે બંધારણ વાડીમાં મળીએ તો જ આવો તો અમે કોઈ એવો ગુનો કર્યો નથી સમાધાન માટે તેમને પણ નમવું પડે અમારે પણ નમવું પડે એટલે અમે મધ્યસ્થી બનાવેલા તે મધ્યસ્થી બનાવવા માગતા નથી એટલા માટે અમે રદ કર્યા અમે ધીણોજના પંચ એ નક્કી કર્યું તેમનામાં ધીણોજના માણસો અમારા એ ધીણોજના માણસો એમના ધીણોજના માણસો અમારા ધીણોજ પક્ષના માણસોને માને એટલે સમાધાનની આગળ વાત થશે સામે પક્ષે ધીણોજ પક્ષના માણસો જીદ જીદ નતી તેમને પરંપરા કે બંધારણની ગેડજ પડતી નથી સમજણ પડતી નથી જે અમારા દલસુખ જેહા હતા જે આ બધા આગેવાનો હતા એ 1135 પરંપરા એ વાત માટે અમે મજબૂત હતા. પરંતુ પરિસ્થિતિ પ્રમાણે પરિવર્તન આવે પણ પરગણાને સાથે લઈને ચાલવું પડે સમાજ પરગણું એક કરવા માટે અમે ધીણોજ પંચ જે પણ કઈ જતું કરવાનું હશે તે પરગણા માટે યુવાનો અને બેન દીકરીઓ માટે જતું કરવા માટે અમે તૈયાર છીએ.
135 પાટણવાડા વણકર સમાજ પંચ ધીણોજ પક્ષ તમામ ચર્ચા વિચારણા નિર્ણયો સર્વ સંમતિથી લીધા બાદ પરગણા ના કોટવાળ બી. એમ. સોલંકી મોટીસરાને પરગણાની પરંપરા મુજબ 1000 રૂપિયા આલમેલ આપવામાં આવી ત્યારબાદ 135 ધિણોજ પક્ષ વણકર પંચે કોટવાળ દ્વારા શ્રી વીર મેઘમાયા દેવ ની જય બોલાવી પરગણાને વિરામ આપવામાં આવ્યો હતો.
પરેશ ઝાલા
બ્યુરો ચીફ,
જયહિન્દ એક્સપ્રેસ ન્યૂઝ
#વણકર #૧૩૫વણકરસમાજ #પરગણું #કોટવાળ #વણકરસમાજપંચ #બંધારણ #વણકરસમાજપંચ #પાટણશહેર #પાટણજિલ્લો #પાટણસીટી #લેટેસ્ટન્યુઝ #સમાચાર #ન્યુઝ #ગુજરાત #ગુજરાતીસમાચાર
#ગુજરાતી #જયહિન્દએકસપ્રેસગુજરાતી #પાટણન્યુઝ #જયહિન્દએકસપ્રેસ #જયહિન્દપરેશઝાલા
#પરેશઝાલા
#Patan #Patancity #PatanDistrict #latestnews
#Samachar #News #Gujarat #Gujarati #Gujaratismachar #jayhindexpressgujarati #jayhindexpresshindi #jayhindexpressnews #patannews #jayhindexpress #jayhindpareshzala
#PareshZala
#PareshZala007
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: