KALAME MOWLA || ISMAILI WAEZ || SATSANG||GINAN EXPLAINATION || KESARI SINHA SWAROOP BHULAYO PART II
Автор: Satsang 😇
Загружено: 2026-03-17
Просмотров: 41
Описание:
આપણો દિન એ તો પ્રકાશ યાત્રા નો.આપણા ફિરકા માં આપણો જન્મ જ એટલા માટે થીયો કે ,આપણે આપણી રૂહાની મુસાફરી ને બહુજ આસાની થી પૂરી કરી શકીએ,કેમ કે આ પ્રકાશ યાત્રા ની તલ તલ ની માહિતી આપણા દિન ના અંદર મૌજુદ છે.
નૂર સબંધે કોઈ પણ વાત જો ખુદ ના અનુભવ ની કરવાની હોય તો વાયેઝિન ને એમ કરવાની મનાઈ જ હોય,અને આવી મનાઈ મૌલા તરફ થી પ્રત્યેક મુરીદ ને પણ હોય.અને એના કારણો પણ છે. પણ એમ છતાં આ આખા વિષય ને પીર એ ગિનાનો ના અંદર અને ઈમામો એ પોતાના ફરમાનો માં એની હર એક બારીકી ના સાથે સમજાવી દીધેલો છે.પણ આ ગિનાન ની અને ફરમાન ની આપણે એ માયના નથી કાઢી શક્યા કે જે કાઢવી જોઈએ.કે જેના માટે એમ કરવા આપણા મૌલા ના ફરમાનો છે.
આવી માયના કાઢવા થી આપણા ને દીદાર તો થાય નહીં કેમ કે એ વાત તો ફિકર જિકર ના તપ ની અગને બળી ને અંતર શુદ્ધિ થવા પછી ની અને મૌલા ની કૃપા ની છે.પણ મૂળ વાત એટલી કે વિષય આખે આખો અને આપણો માર્ગ આપણા ને સમજાઈ જાય.કે પછી આપણા મન માં એ સવાલ બચે નહીં કે હું ઇબાદત તો કરું છું પણ મને દીદાર કેમ મળતા નથી.કેમ કે આ ગિનાન ફરમાન એ આપણા પ્રકાશ માર્ગ ના દીવાઓ છે.જે આપણા ને આપણી સાધના ના રસ્તે અત્યંત સહાયક એવું માર્ગદર્શન પૂરું પાડે છે કે જેનાથી આપણું કામ વગર રોકાએ એની સાચી દિશામાં આગળ વધતું રહે અને મંઝિલે મકસુદ સુધી પહોંચી જાય.
પીર પનદિયાતે જવાંમર્દી ના અંદર હજ રત ઇમામ મુસતન સીર બલ્લાહ (a.s.) એ ફરમાવ્યું કે,તમારા પીરો એ મહેનત કરી ને દીદાર તમારા માટે આસાન કરી દીધા છે.પીરો ની મહેનત થી આપણા ને મળેલું આ ગૂઢ તત્વ કે જેના અંદર પીરો ની બહુ મોટી અને લાંબી ઇબાદત નો સાર છે.આપણે એને ઉકેલી ને એનો ફાયદો ઉપાડવો જોઈએ.આજ કિતાબ ના અંદર ખુદા ની મારેકત કે જે આપણા જીવન નો મકસદ છે જે રહસ્ય સુધી કેવી રીતે પહોચવું એની ચાવીઓ મૌલા એ અતિ સુંદર રીતે સમજાવેલ છે.આ કિતાબ ના અંદર ના મૌલા ના વચનો આપણા નૂર પામવાના માર્ગ માં એટલા તો ઉપયોગી છે કે એની સહાયતા વગર તો આ યાત્રા કરવી અને એનો માર્ગ શોધવો ખરેખર આસાન નથી.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: