અખાડાની ચિપી ની રસમ શું છે? ઇન્દ્રભારતી બાપુ
Автор: Doorbeen Media
Загружено: 2023-02-21
Просмотров: 20169
Описание:
અખાડાની ચિપી ની રસમ શું છે? ઇન્દ્રભારતી બાપુ
ગીરી તળેટીમાં પુણ્યનું ભાથું બાંધવા ત્રિજા દિવસે ૭ લાખ ભાવિકો ઉમટ્યા
મહાશિવરાત્રી : મેળામાં રવેડીના દર્શન : સંતોનું શાહી સ્નાન
તળેટીમાં હૈયે હૈયું ઉમટી પડયું, બેન્ડ વાજા સાથે પાલખીયાત્રા નિકળશે
આજે મહાશિવરાત્રીની ભક્તિમય ઉજવણી સાથે મેળાની મધરાતે થશે પુર્ણાહુતી
જૂનાગઢમાં છેલ્લા ૩ દિવસથી ચાલી રહેલ શિવરાત્રીના મેળાનું આવતીકાલે મધરાતે સમાપન છે, આવતીકાલે મહાશિવરાત્રીની ભવનાથમાં ભક્તિસભર ઉજવણી, આરતી, પૂજન, દર્શન યોજવામાં આવશે. ભવનાથ સ્થિત અખાડાઓની પાલખીયાત્રા નીકળશે, જેમાં મોટી સંખ્યામાં અખાડાઓના મહામંડળેશ્વર, સાધુ, સંતો જોડાશે, પોતાના અખાડાની ધર્મની ધજા સાથે ભવનાથમાં ત્રણેય અખાડાના ઇષ્ટદેવની પાલખીયાત્રા નીકળશે. નાગા સાધુઓના કરતબ સાથે રવેડી ભવનાથ મંદિરે પહોચશે અને ત્યાં સાધુઓનું શાહી સ્નાન બાદ ભવનાથ દાદાની આરતી પૂજન સાથે મેળાની પુર્ણાહુતી થશે.
ભવનાથ તીર્થક્ષેત્રમાં ચાલી રહેલા ચાર દિવસીય મહા શિવરાત્રી મેળાના ત્રિજા દિવસે સાત લાખ જેટલા ભાવિકો ઉમટી પડતા ગીરી તળેટીમાં હૈયે હૈયું દળાય તેવો માહોલ જામ્યો હતો. આવતીકાલે અંતિમ દિવસ હોય જેને લઈને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે, ભવનાથમાં રવેડીના રૂટ પર આવતીકાલ બપોરથી ભાવિકો રવેડીના દર્શન માટે પોતાનું સ્થાન લઈ લેશે, નિયત સમયે ભવનાથમાં આવેલા અખાડાઓમાં સાધુ-સંતો દ્વારા પૂજન કર્યા બાદ પાલખીયાત્રા નીકળશે. જેમાં પંચદશનામ જુના અખાડાના દતાત્રેય ભગવાન, આવાહન અખાડાના ગણેશજી અને અગ્નિ અખાડાના વેદમાતા ગાયત્રી માતાજીની પાલખીયાત્રા નીકળશે. જે પાલખીયાત્રા રવેડીના રૂટ પર ફરશે, જેમાં મોટી સંખ્યામાં શણગારેલ ઘોડા ગાડી, બેન્ડવાજા સાથે પાલખીયાત્રા રૂટ પર ફરશે. જુના અખાડાથી શરુ થઈને મંગલનાથ આશ્રમ, ત્યાંથી દત્ત ચોક, ત્યાંથી ઇન્દ્રેશ્વર દરવાજા થઈને ભારતીબાપુના આશ્રમ પાસેથી પરત ભવનાથ મંદિરે આવશે.
રવેડીમાં નાગા સાધુઓ અંગકસરતોના કરતબ બતાવશે, જેમાં તેઓ તલવાર લઈને કરતબ બતાવશે, જે નજારો જોવા માટે દેશ-વિદેશથી ભક્તો ઉમટી પડશે. બપોરેથી રવેડીના રૂટ પર ગોઠવાઈને સાધુ-સંતોના દર્શન કરશે. રવેડી રાતે ભવનાથ મંદિરે પહોચ્યા બાદ મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે પૂરી થશે. આમ શિવરાત્રીનો મેળો સંતોના શાહી સ્નાન સાથે પૂર્ણ થશે.
આજે ગૃહરાજ્ય મંત્રી શિવરાત્રી મેળામાં દર્શન કરશે
આવતીકાલે મહા શિવરાત્રી પર્વને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ભવનાથ આવનાર છે, જે અંગે રેંજ આઈ.જી.મયંકસિંહ ચાવડાએ આજે સાંજે મેળાના રૂટ ઉપર નિરીક્ષણ કર્યું હતું, બંદોબસ્ત અંગે સૂચનો કર્યા હતા, આવતીકાલે બપોરે ગૃહરાજ્યમંત્રી જૂનાગઢ આવશે, અહી ઝાંઝરડા રોડ ઉપર નવનિર્મિત એસઓજી પોલીસ સ્ટેશનનું લોકાર્પણ, પીટીસી મેદાન ખાતે બનનાર ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાત બાદ શિવરાત્રી મેળામાં આવીને ભવનાથ મંદિરે દર્શન અને પૂજન કરશે અને વિવિધ આશ્રમોની મુલાકાત લઈ સાંજે રવાના થશે.
આજે સવારે ૧૦ વાગ્યાથી તમામ વાહનોને નો એન્ટ્રી
આવતીકાલે મહાશિવરાત્રીની રજાને લઈને મોટી સંખ્યામાં ભાવિકોનો ઘસારો રહેવાની ધારણા છે, જેને લઈને અંતિમ દિવસે સવારથી જ વાહનો પર રોક લગાવવામાં આવશે, સવારથી જેમ ટ્રાફિક વધશે તે રીતે વાહનોની એન્ટ્રી બંધ કરવામાં આવશે, જેમાં પાસવાળા વાહનોને પણ નો એન્ટ્રી કરવામાં આવશે, ભવનાથમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રોક લગાવશે. સંભવત ટ્રાફિકને ધ્યાને લઈને એસટી સેવા પણ ૧૦ વાગ્યા પછી બંધ કરી શકાય તેમ છે.
૧૦૦ થી વધુ અન્નક્ષેત્રોમાં ફળાહારનો પ્રસાદ
મહાશિવરાત્રીના પાવન પર્વે ગિરનાર તીર્થક્ષેત્રમાં આવતીકાલે આશરે પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુ એક સાથે ઉપવાસ કરી ફરાળ ગ્રહણ કરશે, આ બાબતને એક વિશ્વ રેકોર્ડ સમાન ઘટના ગણાવી શકાય, ગિરનાર તળેટીના ભવનાથ ખાતે આવતીકાલે મહાશિવરાત્રીના દિવસે સંતો મહંતો અને ઉપસ્થિત ભાવિકો ઉપવાસ કરી રાત્રે દેવાધીદેવ મહાદેવની રવેડી સરઘસ યોજાયા બાદ ફરાળ ગ્રહણ કરશે, સેવાના ઉદ્દેશ સાથે ધમધમતા આશરે ૧૦૦ થી વધુ અન્નક્ષેત્રો અને રાવટીઓમાં ભાવિકો જુદા જુદા પ્રકારના ફળનો પ્રસાદ લેશે.
મેળામાં ત્રિજા દિવસે ૨૬ લોકો વિખુટા પડ્યા
શિવરાત્રી મેળામાં ત્રિજા દિવસ દરમિયાન ૫ બાળકો સહીત કુલ ૨૬ લોકો પરિવારથી વિખુટા પડ્યા હતા, જેમાં ૫ બાળકો, ૧૩ મહિલા અને ૮ પુરુષોનો સમાવેશ થાય છે, તેને માહિતી સેવા કેન્દ્ર ખાતે એનાઉન્સ કરાવીને તેમના પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો.
આ છે, સોરઠનું નંબર 1 મીડિયા નેટવર્ક*
સૌથી વધુ દર્શકો ધરાવતું એકમાત્ર સોશીયલ મીડિયા નેટવર્ક
અમારી સાથે અત્યારેજ જોડાઓ
Visit us: https://www.onnews24x7.com/
Facebook: / onnews24x7
Youtube: / on24x7news
Instagram: / onnews24x7
Twitter: / onews24x7
શું આપની આસપાસ કોઈ ઘટના બની રહી છે?
તો અમોને જાણ કરો, સૂચનો અને સમસ્યાઓ કોમેન્ટ બોક્સમાં લખી મોકલો, અથવા વિડિઓ બનાવીને મોકલો...
અથવા - WhatsApp કરો: +919426657264
"OnNews India" is a video-based news portal with a primary focus on positive, innovative, and inspiring news about Gujarat. We are working last 25 years in media, and we have more than 10000 unique, unbelievable, amazing, and rare video stock footage and huge archives. So write to us to obtain a stock footage license of any type of broadcast format and any type of production.
Email: [email protected]
#GirIndiaFilms #OnNews24x7 #way2wildlife #NewsJunagadh #junagadh #Girnar #mrugikund #girnar #moraribapu #akhada #akhara #hindu #datatrey #aavahanakhada #ravadi #aavahanakhara #mahashivratri2023 #mahashivratri #bhavnath #junaakhada #junaakhara #nagasadhu #nagabava #nagaSanyashi
સૌથી વધુ...
Subscribers
Followers
Viewers
Sharings
Likes
ધરાવતું એકમાત્ર નેટવર્ક
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: