ચોટીલાના 4-ગામના સીમાડે બિરાજમાન માં-હીંગળાજની 51-ફૂટ લાંબી પ્રતિમાનો-પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
Автор: Vansh-Official-channel
Загружено: 2026-02-05
Просмотров: 481
Описание:
ચોટીલાના 4-ગામના સીમાડે બિરાજમાન માં-હીંગળાજની 51-ફૂટ લાંબી પ્રતિમાનો-પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
ચોટીલાના મોટી મોલડી, કાળાસર, ખેરડી અને ઝીંઝુડા એમ ચાર ગામની સીમાડે માં હીંગળાજનું ભવ્ય મંદિર આવેલુ છે. ભારતભરમા આ એકમાત્ર મંદિર એવુ છે કે જયાં માતાજીની મુર્તિ સુતેલી અવસ્થામાં છે. ત્યારે માતાજીની 51 ફુટ લાંબી પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાજેતરમાં તા. 24મીથી 27મી નવેમ્બર દરમિયાન ધામધુમથી ઉજવાયો હતો.
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ચોટીલા ખાતે માં ચામુંડાના બેસણા છે. ત્યારે ચોટીલાથી માત્ર 8થી 10 કિલોમીટર નજીક જ મોટી મોલડી, કાળાસર, ખેરડી અને ઝીંઝુડા એમ ચાર ગામની સીમાડે માં હીંગળાજ પણ ડુંગર પર બીરાજે છે. સમગ્ર ભારતમાં આ એકમાત્ર એવુ મંદિર કે જયાં હીંગળાજ માતાજી સુતેલા છે. ઠાંગા પંથકના ઠાંગેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ આ મંદીર ખાતે તા. 24મીથી 27મી નવેમ્બર દરમિયાન સહસ્ત્રચંડી મહાયાગ અને હીંગળાજ માતાજીની 51 ફુટ લાંબી પ્રતિમાની પ્રાણ પ્રતીષ્ઠા કરાઈ હતી. આ તકે 151 વિદ્વાન પંડીતો દ્વારા સહસ્ત્રચંડી મહાયાગનું ગાનકરાયુ હતુ. જેમાં દેહશુધ્ધી, ચંડીપાઠ આવર્તન, મહા ગંગા આરતી, રાસ ગરબા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જયારે હરેશદાન ગઢવી, જીતુદાન ગઢવી, જયમંત દવે, અલ્પાબેન પટેલ સહિતના કલાકારોએ સંતવાણી રજૂ કરી હતી. આ કાર્યક્રમના ચાર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં સંતો-મહંતો, રાજકીય આગેવાનો, દાતાઓ, કલાકારો અને ભાવિકો
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: