ANADI MUKTA SHRI JADAVJI BAPA NI DIVYA VANI | Swaminarayan Satsang | Abjibapa Ni Chhatedi
Автор: Abjibapani Chhatedi
Загружено: 2020-05-06
Просмотров: 4664
Описание:
AMPP SHRI JADAVAJI BAPA 1988
અનાદી મુક્ત શ્રી જાદવજી બાપા
‘ આ જાદવો તો અમારો સાઘુ છે ! ' અબજીબાપાશ્રીએ જેમના માટે આવા વચનો ઉચ્ચાર્યા હતા તે બાપાશ્રીના પૌત્ર યા ને બાપાશ્રીના જયેષ્ઠ પુત્ર કાનજીબાપાના નાના પુત્ર જાદવજીબાપા જન્મથી જ સાધુતાને વરેલા મુક્ત હતા . જાદવજી બાપા એમ કહેતા કે બાપાશ્રી ધામમાં પધાર્યા ત્યારે હું બાવીસ વરસનો હતો , એ ગણતરીએ જાદવજી બાપાનો જન્મ સં . ૧૯૬૨માં થયો હોવો જોઇએ . બાપાશ્રીના ઘરમાં જ જેમનો જન્મ થયો હોય તથા બાપાશ્રીના ખોળામાં રમીને જેમનું બાળપણ વીત્યું હોય એમની પાત્રતા વિષે વધુ શું કહેવાનું ? છેક બાલ્યકાળથી જ જાદવજી બાપા અત્યંત વૈરાગ્યવાન અને સેવાભાવી હતા . આશાબાપાની જેમ તેઓ બાપાશ્રીના અનન્ય અંતેવાસી સેવક હતા . તેમના લગ્ન નાની ઉંમરમાં જ તેજુબા સાથે થઇ ગયેલા . છત્તાંપણ ભર જુવાનીમાં એકવાર તેમને ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી સાધુ થવાનો વિચાર આવ્યો. બાપાશ્રીની ખડેપગે રાત - દિવસ સેવા કરતા જાદવજી બાપા વારે વારે બાપાશ્રીને કહ્યા કરતા ઃ ‘ બાપા , મારે સાધુ થાવું છે . . . ' પરંતુ બાપાશ્રીની . અંતરતમ ઇચ્છા તેમને દાદાખાચરની જેમ ગૃહસ્થાશ્રમમાં રાખી સત્સંગ સેવા કરાવવાની હોવાથી તેઓ આ વિષયમાં કાંઇ જવાબ નહોતા દેતા . . એક દિવસ જાદવજી બાપા બાપાશ્રીની રજા લીધા વિના જ બળદિયાથી અમદાવાદ આવવા નીકળી ગયા . અમદાવાદ આવી તેઓ સીધા સરસપુર મંદિરમાં સદ્ગુરુ સ્વામી શ્રી ઇશ્વરચરણદાસજી પાસે આવીને બોલ્યા : ‘ સ્વામી , મને સાધુકરો . ' સ્વામીએ પૂછયુંઃ “ બાપાશ્રીની આજ્ઞા લઇને આવ્યા છો ? ” જાદવજીભાઇ કહે , ‘ મેં પૂછયું હતું , પણ બાપાએ હા કે ના કાંઇ કહ્યું નથી . ’ સ્વામી કહે , ‘ બાપાશ્રીની આજ્ઞા વિના અમારાથી તમને સાધુ ના કરાય . બાપાશ્રીએ હા નથી પાડી એનો અર્થ બાપાશ્રીની ઇચ્છા તમને ગૃહસ્થાશ્રમમાં રાખવાની જ છે . તમે એમ કરો , વઢવાણ ડૉ . મણિભાઇ આદેશરા પાસે જાઓ . ’ વઢવાણ આવીને જાદવજી બાપાએ મણિભાઇને બધી વિગતવાર વાત કરી , આ સાંભળી મણિભાઇ સમજી ગયા કે બાપાશ્રીની તથા સ્વામીશ્રીની ઇચ્છા જાદવજી બાપાને ગૃહસ્થાશ્રમમાં જ રાખવાની છે , તેથી તેમણે જાદવજી બાપાને થોડા દિવસ પોતાની પાસે રાખી , તેમના માટે નવા કપડાં સીવડાવી આપી , તેમને સમજાવી બળદિયા પાછા મોકલ્યા . તેથી કારણ સત્સંગ જાદવજી બાપાના ધર્મપત્ની તેજુમાં ઘણીવાર કહેતા કે , ‘ મણિલાલ બાપુજીએ મારું ઘર ભાંગતું બચાવ્યું છે ! એક દિવસ બાપાશ્રીએ પોતાને અતિશય ગરમી લાગે છે તેવું જણાવી જાદવજીભાઇને કહ્યું : ‘ જાદવા ! મને સપડતો વાયરો નાખ્ય . ” જાદવજી બાપા તો તરત જ મોટો પંખો લઇને વાયરો નાખવા માંડ્યા . થોડી વાર એ રીતે વાયરો નાખતાં બાપાશ્રીએ તેમના પર રાજીપો દર્શાવી કહ્યું : “ વાહરે જાદવા વાહ ! આ સેવક તો ખરેખરો છે . કયારેય થાકે નહિ , સેવામાં મંડ્યો જ હોય . એને ગમે તેટલું વઢો તોય કાંઇ નહિ . ” આમ પ્રસંગોપાત બાપાશ્રીની અપ્રતિમ પ્રસન્નતા અનાયાસે તેમને મળતી રહેતી . બાપાશ્રી સં . ૧૯૮૪ના અષાઢ સુદ ચોથની અધરાતના એક વાગે ધામમાં પધાર્યા ત્યાં સુધી જાદવજી બાપા બાપાશ્રીની અવિરત સેવામાં ખડેપગે રહ્યા હતા . તેઓ . બાપાશ્રીના અનન્ય કૃપાપાત્ર સેવક હતા . જાદવજી બાપાને મુનિ સ્વામીનો ખૂબ મહિમા હતો . સં . ૨૦૨૫ના અરસામાં કોઇ વિઘ્નસંતોષી એવો મનાઇ હુકમ લાવેલ કે મુનિસ્વામી આદિ સંતોએ છત્રી સ્થાનમાં ઉતરવું નહિ . આ સાંભળી જાદવજી બાપાને ખૂબ દુઃખા થયેલું . એક દિવસ જાદવજી બાપા સવારે ૮ . ૦૦ વાગે છત્રી સ્થાનમાં દર્શને આવેલા ત્યારે તેમને વિચાર આવ્યો કે , શ્રીજીમહારાજ અને બાપાશ્રી આ શું લીલા કરતા હશે ? ત્યાં તો તેમને લાગ્યું કે કોઇકે તેમનો હાથ પકડ્યો છે . ચારેબાજુ નજર કરતા કોઇ જણાયું નહીં . તરત જ કોઇકે માથે હાથ મૂકયો એમ લાગ્યું , પરંતુ સ્થૂળ નજરે કોઇ દેખાતું નહિ . પછી તેમને અંતરમાં એમ પ્રેરણા થઇ કે શ્રીજીમહારાજ તથા બાપાશ્રી એમ કહે છે કે , તું ધીરજ રાખ . અમે અખંડ ભેળા છીએ , બધું સારું થઇ જશે . આ પછી ફક્ત બાર જ દિવસમાં આ મનાઇ હુકમ રદ થઇ ગયો .
કારણ સત્સંગ સંવત ૨૦૨૬માં જાદવજી બાપા ત્રણ એસ . ટી . બસ લઇને સંઘ સાથે છપૈયાની યાત્રાએ નીકળ્યા હતા , ત્યારે સર્વે યાત્રાળુઓને ગઢડા , ધોળકા અને જેતલપુરમાં ચંદનના છાંટાનો પ્રત્યક્ષ અનુભવ થયો હતો . તેમજ વડતાલમાં હરિમંડપમાં શ્રી ઘનશ્યામ મહારાજ હસતા હોય તેવા દર્શન જાદવજી બાપાને થતાં હતાં . વળી છપૈયામાં અક્ષરભુવનમાં શ્રી ઘનશ્યામ મહારાજ હસતા હતા એવાં દર્શન સહુ સંઘમાં આવેલા યાત્રાળુઓને થયાં હતાં . જાદવજી બાપાનું સ્વાથ્ય છેક સુધી સારું હતું . તેમની પાસે કથાવાર્તાનો અખાડો અખંડ ચાલ્યા કરતો . છતેડી મંદિરમાં તેઓ હંમેશાં દિવસમાં બે વાર ચાલીને દર્શને આવતા , ધામમાં પધાર્યા ત્યાં સુધી તેઓ દંડવત કરી શકતા હતા . અનેક મુમુક્ષુઓને તેમણે મહારાજ અને બાપાશ્રીમાં જોડ્યા હતા સંવત ૨૦૫૮ માં ૯૬ વરસની જૈફ ઉંમરે બળદિયામાં તા . ૨૪ - ૨ - ૨૦૦૨ ના રોજ તેઓ આ પાર્થિવ શરીર છોડી શ્રીજીમહારાજની મૂર્તિના સુખે સુખિયા થયા.
#Swaminarayan #abjibapanichhatedi #baladia #harikrishnamaharaj #swaminarayanbhagwan #Bhuj #karansatsang #Abjibapa #Bapashree #ghanshyam
Disclaimer
આ ઓડિઓ - વિડિઓ મીડિયા સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ તથા તેને અનુરૂપ જે જે ધાર્મિક માણસો છે , તેમની ધાર્મિક માન્યતાઓને આધારિત છે . આ ઓડિઓ - વિડિઓ મીડિયા કોઈ પણ વર્ગના વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહની લાગણીઓને હાનિ પહોંચાડવાની ભાવનાથી નથી . બા ઓડિઓ - વિડિઓ મીડિયાને ડાઉનલોડ કરી કોઈ પણ ભાગનો ગેરઉપયોગ કરવો નહીં અને જો કરવામાં આવશે તો તેની સામે કાનુની પગલાં લેવામાં આવશે .
Copyright Disclaimer: Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a copyright law that will otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: