નડિયાદ : નડિયાદની ૭૨ વર્ષ જૂની 'જશલક્ષ્મી પ્રાણશંકર કંથારીયા સાર્વજનિક કન્યા વ્યાયમ મંદિર' સંસ્થા..
Автор: link news nadiad
Загружено: 2026-03-07
Просмотров: 330
Описание:
આંતરરાષ્ટ્રીય મહિલા' દિવસ વિશેષ
નડિયાદની ૭૨ વર્ષ જૂની 'જશલક્ષ્મી પ્રાણશંકર કંથારીયા સાર્વજનિક કન્યા વ્યાયમ મંદિર' સંસ્થા દીકરીઓ માટે બની આશીર્વાદરૂપ : 'સ્વરોજગાર'ના માધ્યમથી મહિલા ઉત્કર્ષનું ઉત્કૃષ્ટ ઉદાહરણ
વર્ષ ૧૯૫૪થી કાર્યરત આ સંસ્થામાં સિવણ, બ્યૂટી પાર્લર અને કરાટે જેવી વિવિધ તાલીમ મેળવી હજારો દીકરીઓ આર્થિક રીતે બની પગભર
આ તાલીમ માત્ર કૌશલ્ય નથી પણ દીકરીઓ માટે આત્મસન્માન સાથે જીવવાનું સાધન બન્યું
સાત દાયકાની અંદર અનેક મહિલાઓએ અહીંથી પ્રેરણા મેળવીને સામાજિક અને આર્થિક રીતે પોતાની ઓળખ ઉભી કરી
.......................................
૮મી માર્ચે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના અવસરે નડિયાદની સાત દાયકા જૂની સંસ્થા 'જશલક્ષ્મી પ્રાણશંકર કંથારીયા સાર્વજનિક કન્યા વ્યાયમ મંદિર' મહિલા સશક્તિકરણનું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહી છે. વર્ષ ૧૯૫૪માં સ્થપાયેલી આ સંસ્થા દાયકાઓથી દીકરીઓને આત્મનિર્ભર બનાવવા માટે કાર્યરત છે. અહીં માત્ર ટોકન દરે સિવણ, બ્યૂટી પાર્લર, ડ્રોઈંગ, મહેંદી અને કરાટે જેવી તાલીમ આપીને નડિયાદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોની હજારો દીકરીઓના જીવનમાં આર્થિક ઉજાસ ફેલાવવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
નડિયાદ શહેર ઉપરાંત પીપળાતા, પીપલગ, મરીડા, હાથજ અને ઉત્તરસંડા જેવા ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતી દીકરીઓ આ સંસ્થામાં વ્યાવસાયિક કૌશલ્ય મેળવી રહી છે. સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા સિવણ ક્લાસમાં વર્ષ ૨૦૧૨થી અત્યાર સુધીમાં અંદાજે ૧૦ હજારથી વધુ દીકરીઓએ તાલીમ મેળવી છે. હાલમાં આ સિવણ વર્ગો બે પાળીમાં (બપોરે ૧ થી ૩ અને ૩ થી ૫) કાર્યરત છે, જ્યાં નિષ્ણાતો દ્વારા ઝીણવટભરી તાલીમ આપવામાં આવે છે. ખાસ કરીને નિરાધાર દીકરીઓ અને આર્થિક રીતે નબળા પરિવારની યુવતીઓ અહીં સિવણના પાયાના જ્ઞાનથી લઈને ડ્રેસ, ચણિયાચોળી અને બ્લાઉઝ બનાવવાની નિપુણતા મેળવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતી થઈ છે.
સંસ્થાના સંચાલકોના જણાવ્યા અનુસાર, મહિલા ઉત્થાનના મુખ્ય હેતુ સાથે શરૂ થયેલી આ પ્રવૃત્તિમાં દાતાઓનો પણ મોટો સહયોગ સાંપડી રહ્યો છે. સંસ્થાના પ્રમુખ ઉર્મિલાબેન સુથાર અને ફાઉન્ડર રમાબેન શાહના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ પંકજબેન શાહ અને મંત્રી ઉર્વશીબેન ઠાકર સહિતની ટીમ સતત સેવા આપી રહી છે. ૨૦૧૨થી સિવણની તાલીમ આપતા ધર્મિષ્ઠાબેન જાદવના મતે, આ તાલીમ માત્ર કૌશલ્ય નથી પણ દીકરીઓ માટે આત્મસન્માન સાથે જીવવાનું સાધન બની છે. સાત દાયકાની આ સફરમાં અનેક મહિલાઓએ અહીંથી પ્રેરણા મેળવીને સામાજિક અને આર્થિક રીતે પોતાની ઓળખ ઉભી કરી છે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: