માં બાપ ને ભુલશો નહી|જીવન માં ઉતારવા જેવો વિડિયો| સુખ ની વાત|
Автор: maa baap motivational videos
Загружено: 2025-12-07
Просмотров: 4
Описание:
માં બાપ વિશે વિડિયો
મા-બાપની સેવા શા માટે કરવી?
આ દુનિયામાં પહેલામાં પહેલી સેવા કરવા જેવી હોય તો તે મા-બાપની સેવા છે. હિંદુસ્તાનની સંસ્કૃતિમાં મા-બાપની સેવાને ખૂબ મહત્ત્વ અપાયું છે. જો સાચા દિલથી માતા-પિતાની સેવા કરવામાં આવે તો જીવનમાં દુઃખ ના આવે, કાયમ શાંતિ રહે. એટલું જ નહીં, મા-બાપની સેવા કરવાથી જીવનમાં ભૌતિક સગવડો પણ પ્રાપ્ત થાય. મા-બાપની સેવા સંસારમાં તો પ્રગતિ કરાવે જ છે, પણ સાથે સાથે અધ્યાત્મમાં ઉન્નતિ માટે તેમજ મોક્ષ માટે પણ મદદરૂપ છે.
પરમ પૂજ્ય દાદાશ્રી એક જ વાક્યમાં કહે છે કે જે બાળકો તેમના મા-બાપની સેવા કરે, તેમને કોઈ દિવસ પૈસાની ખોટ નહીં આવે અને બધી જરૂરિયાતો મળી આવે! તેઓશ્રી કહે છે કે, “મા-બાપની સેવા ના કરે એ આ ભવમાં સુખી થાય નહીં. મા-બાપની સેવા કરવાનો પ્રત્યક્ષ દાખલો શું? ત્યારે કહે છે કે આખી જિંદગી સુધી દુઃખ ના આવે. અડચણોય ના આવે, મા-બાપની સેવાથી!” માટે તેઓ દરેક વયના મનુષ્યોને અનુરોધ કરે છે કે મા-બાપની સેવા કરજો.
ધન મેળવવા કે ભૌતિક સુખ-સગવડની લાલચથી પ્રેરાઈને કરેલી મા-બાપની સેવા એ સાચી સેવા નથી. એમની તો ખરા હૃદયથી સેવા કરવી જોઈએ. પણ મોટેભાગે લોકો જવાબદારી નિભાવવી પડે એમ માનીને પરાણે મા-બાપની સેવા કરે છે. અથવા તો સમાજના દબાણથી, દેખાદેખીથી, લોકોમાં ખરાબ લાગશે એવા ભયથી માતા-પિતાની સેવા કરે છે.
મા-બાપની સેવાથી તો પ્રત્યક્ષ રોકડું ફળ મળે છે. સાચા દિલથી મા-બાપની સેવા કરવાથી સંસારમાં પ્રગતિ થાય છે, તેમજ આખી જિંદગી સુખ, શાંતિ અને લક્ષ્મી બધું જ મળી રહે છે.
બહાર ભગવાન દેખાતા નથી, પણ મા-બાપ આપણી સામે જ છે. તેમનામાં જીવતા ભગવાન છે. પુણ્યશાળી હોય તેના ભાગે જ મા-બાપની સેવા આવે. એટલે તેમની સેવા પૂરા અહોભાવ સાથે કરવી જોઈએ.
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “મા-બાપની સેવા કરવી એ ધર્મ છે. એ તો ગમે તેવો હિસાબ હોય પણ આ સેવા કરવી એ આપણો ધર્મ છે અને જેટલો આપણો ધર્મ પાળીએ એટલું સુખ આપણને ઉત્પન્ન થાય. વડીલોની સેવા તો થાય, જોડે જોડે સુખ ઉત્પન્ન થાય. મા-બાપને સુખ આપીએ તો આપણને સુખ ઉત્પન્ન થાય. મા-બાપને સુખી કરે એ માણસો કાયમ કોઈ દહાડો દુઃખી હોતાં જ નથી.”
અસંખ્ય ઉપકાર મા-બાપના
બાળક જન્મે ત્યારથી મોટું થાય ત્યાં સુધી મા-બાપ જ બાળકોની સેવા કરે છે. બાળકને ખવડાવે, પીવડાવે, અડધી રાત્રે ડાઈપર બદલી આપે, માંદગીમાં ઉજાગરો વેઠીને પણ બાળકની સંભાળ લે. બાળક મોટું થાય એટલે એને ભણાવે, ગણાવે. સ્કૂલ અને ટ્યુશનની ફી ઉપરાંત પુસ્તકો, કપડાં, વાહનો પણ અપાવે. બાળકને ભાવતું બનાવીને જમાડે, એનું ગમતું બધું લાવી આપે. દરેક વસ્તુમાં મા-બાપ પોતાનું જતું કરીને પણ બાળકોને ઉછેરે.
આપણા ઉપર સહેજ કોઈએ ઉપકાર કર્યો હોય તો આપણે આખી જિંદગી તે યાદ રાખીને બદલો વાળીએ છીએ. ધારો કે, પરીક્ષાના દિવસે આપણા વાહનમાં પંક્ચર પડે, પહોંચવામાં મોડું થાય એવું હોય અને આપણને ખૂબ ટેન્શન હોય, ત્યારે કોઈ પાડોશી રસ્તામાં મળે અને એમની ગાડીમાં લિફ્ટ આપીને સમયસર પહોંચાડે તો આપણને એમની મદદ યાદ રહી જાય છે. એમની જરૂર વખતે આપણે યાદ કરીને મદદ પહોંચાડીએ છીએ. તો પછી આખી જિંદગીમાં મા-બાપે આપણા ઉપર આટ આટલા ઉપકાર કર્યા તે કેમ ભૂલી જઈએ છીએ? આપણે જન્મ્યા ત્યારથી મોટા થયા ત્યાં સુધી મા-બાપે આપણી આટલી સંભાળ રાખી, તો જ્યારે તેઓ મોટી ઉંમરના થાય ત્યારે આપણે તેમની સંભાળ ન રાખવી જોઈએ?
જેમણે આપણને મોટા કરવામાં પોતાની અડધી જિંદગી ખર્ચી નાખી, આપણા જીવનમાં સારા સંસ્કારો સિંચ્યા, તેવા મા-બાપ જ્યારે ઘરડાં થાય ત્યારે તેમની સેવા કરવાનું ચૂકવું ન જોઈએ. માતા-પિતાના ઉપકારોને કાયમ લક્ષમાં રાખી તેમની વૃદ્ધાવસ્થામાં અવશ્ય સેવા કરવી જોઈએ. તેમને કોઈ પણ પ્રકારની અશાંતિ ના થાય, તેમને કોઈ પણ આર્થિક દુઃખો, માનસિક દુઃખો કે શારીરિક દુઃખો ન આવે તેવી રીતે તેમનું ધ્યાન રાખવું જોઈએ.
ઘડપણમાં લાચારી ઘણી
આજકાલ બહુ ઓછા લોકો સાચા દિલથી મા-બાપની સેવા કરે છે. મા-બાપ છોકરાઓ માટે સર્વસ્વ હોમી દેતા હોય છે, પણ એ જ મા-બાપને છોકરાઓ ધુત્કારી નાખે છે. પોતાની મોજમજા કરવા, અથવા સ્વતંત્રતા ભોગવવા ઘરડાં મા-બાપને ઘરમાંથી કાઢી મૂકે છે. આખી દુનિયાના સંતાનોને તેમના માતા-પિતાની સેવા કઈ રીતે કરવી તે સમજાવું જોઈએ.
મા-બાપ એકલા હાથે ચાર-ચાર છોકરાઓને સાચવે, મોટા કરે. પણ મા-બાપ ઘરડા થાય તો ચારમાંથી એક પણ છોકરો મા-બાપને સાચવી ના શકે, ત્યારે મા-બાપના દિલને ખૂબ ઠેસ પહોંચે છે. આપણા માથે મા-બાપની સેવા આવી પડે ત્યારે બીજા ભાઈ-બહેનો કેમ સેવા નથી કરતા એવી ફરિયાદ ન કરવી જોઈએ. ઊલટું, પોતાનું ધનભાગ્ય કે મા-બાપની સેવાનો અવસર મળ્યો, એવા ભાવ સાથે સેવા કરવાથી મા-બાપને પણ સંતોષ મળશે અને પોતાને પણ સુખ ઉત્પન્ન થશે.
ઘડપણ આવે એટલે નવું બાળપણ જ શરૂ થાય છે. વૃદ્ધ મા-બાપને શરીરમાં પીડા શરૂ થાય, બોલી ના શકે, અકળામણ થાય, ઊંઘ ના આવે, ત્યારે તેમની વ્યથા સમજવી જોઈએ. મા-બાપ ગમે તેવા હોય, પણ તેમના ઘડપણમાં સવળા એડજસ્ટમેન્ટ લઈને તેમની સેવા કરવી જોઈએ. એવા સમયે તેમને ગમે તેમ બોલીએ, મન બગાડીએ તો મા-બાપના દિલને મોટી તરછોડ વાગે છે. તેમ છતાં, ઘરડાં મા-બાપની સેવા કરતી વખતે મન બગડી જાય, અકળાઈ જવાય તો માફી માંગી લેવી જોઈએ. વૃદ્ધ મા-બાપની સેવા આપણા ભાગે આવે તો તેને ઉત્તમ સંજોગ મળ્યો એમ સમજીને દિલથી સેવા કરવી છે એમ નક્કી કરવું જોઈએ. નિયમ છે કે જેવું નક્કી કરીએ તેવી માનસિક, શારીરિક અને આર્થિક શક્તિ આપણામાં પ્રગટ થઈ જાય.
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “જે વ્યવહાર પોતાના ધર્મને તરછોડે, મા-બાપના સંબંધને પણ તરછોડે, તેને ધર્મ કેમ કહેવાય?” બહાર ગમે તેટલી ધાર્મિક ક્રિયાઓ કરતા હોઈએ, પણ મા-બાપની સેવા ન કરીએ તો એ સંતાનનો ધર્મ ચૂકાય છે. ધર્મ તો એનું નામ જે દરેક સંબંધને આવકારે, જેમાં આદર્શ વ્યવહાર હોય.
#motivation #મોટીવેશન #વિડિયો
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: